મુંબઈ
બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના રિલેશનશિપની વાતો હાલ ઘણી ચર્ચામાં છવાયેલી છે. આલિયા અને રણબીર બંનેએ મીડિયા સામે આ રિલેશનશિપને એક્સેપ્ટ કરી છે અને હવે ચાહકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આલિયાના ઘરે લગ્નની શહણાઈ વાગશે. પરંતુ શું તેઓ આ રિલેશનશિપ વિશે ખરેખર એટલા ગંભીર છે કે તેઓ આગામી વર્ષે લગ્ન કરી શકે છે? આ વિશે આલિયાના પિતા મહેશ ભટ્ટને એક પત્રકાર પરિષદમાં આ વિશે પૂછવામાં આવ્યું હતું.

આ પ્રશ્નના જવાબમાં, ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક મહેશ ભટ્ટે સીધી રીતે નાતો તેમને હા કહ્યું કે નાતો તો તેમને ના કહ્યું તેમણે કહ્યું, “મેં ક્યારેય મારા બાળકો સાથે તેમાં અંગત જીવન વિશે વાત કરી નથી, તેઓ પુખ્ત વયના છે અને આ તેમનો નિર્ણય છે. હું તેમના આ નિર્ણયથી કયારે પણ સાર્વજનિક રીતે શરમ અનુભવું નહીં.”

મહેશ ભટ્ટએ આ તમામ બાબતોને પોતાના બાળકો પર છોડી દીધી છે, કહ્યું કે તે તેનો નિર્ણય છે કે તે મૌન રહેવા કે વાત આ વિશે વાત કરવી. મહેશ ભટ્ટએ કહ્યું, “તેઓ તેમના જીવનમાં શું ઈચ્છે છે તે તમામ વાતનું હું ધ્યાન રાખું છું. જણાવીએ કે, તાજેતરમાં, આલિયા ભટ્ટએ આ હકીકતને એક ઇન્ટરવ્યુમાં સ્વીકારી છે કે તેઓ હવે એક સિંગલ નથી.
