મુંબઈ,
બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર આજે તેનો 52 મો જન્મદિવસ મનાવી રહ્યો છે. આ ખાસ દિવસે તેમની આગામી ફિલ્મ પૃથ્વીરાજ ચૌહાણનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. જેનું દિગ્દર્શન ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરશે. યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રિલીઝ થશે. પીરિયડ વોર ડ્રામા આ ફિલ્મ પ્રખ્યાત હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણની મહાગાથા છે.
અક્ષય કુમારે તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતાં તેને લખ્યું – મને ખૂબ જ આનંદ છે કે હું મારા જન્મદિવસ પર મારી પહેલી ઐતિહાસિક ફિલ્મ કહી રહ્યો છું. હું આભારી છું કે મને પૃથ્વી રાજ ચૌહાણની ભૂમિકા નિભાવવાની તક મળી. પૃથ્વી રાજ ચૌહાણ મારી એક મોટી ફિલ્મ છે.
Elated to share about my 1st historical film on my birthday!Humbled to have the opportunity to play a hero I look up to for his valor & values- Samrat Prithviraj Chauhan in one of my biggest films #Prithviraj.
Producer @yrf,director #DrChandraprakashDwivedi, releasing Diwali 2020 pic.twitter.com/Q2nD5KE3KR— Akshay Kumar (@akshaykumar) September 9, 2019
હાલમાં આ ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટનું નામ હજી બહાર આવ્યું નથી. આ ફિલ્મમાં સંયોગિતાનું પાત્ર કોણ ભજવશે તે પણ હજી બહાર આવ્યું નથી. જો કે, થોડા સમય પહેલા અક્ષય કેસરીમાં જોવા મળ્યો હતો, જેણે ઘરેલું બોક્સ ઓફિસ પર 154 કરોડની કમાણી કરી હતી. પરિણીતી ચોપડા અક્ષય કુમારની આપોજિટ ફિલ્મમાં જોવા મળી હતી.
માનવામાં આવી રહ્યું છે કે અક્ષય કુમારની ફિલ્મ પૃથ્વીરાજ કંગના રાનૌતની ફિલ્મ ધાકડ સાથે ટકરાશે. જેનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
