Surat News/ સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા બાદ હર્ષ સંઘવીનું આવ્યું મોટું નિવેદન

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ પર જણાવ્યું છે કે, સૂર્યોદય થતા પૂર્વે પથ્થરમારોને ઝડપી પાડવામાં આવશે, તે માટે શાંતિ ડહોળાવનારા

Top Stories Gujarat Surat Breaking News
Image 2024 09 09T084736.008 સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા બાદ હર્ષ સંઘવીનું આવ્યું મોટું નિવેદન

Surat News: સુરત શહેરમાં (Surat City) સૈયદપુરા વરિયાવી બજાર ખાતે રાત્રે અંદાજે 9 વાગ્યે ગણપતિ મંડપમાં (Ganapati Mandap) બબાલ થઈ હતી, જેને પગલે ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. મંડપમાં રિક્ષામાં બેસીને કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. ઘટના સીસીટીવીમાં કેદ થતાં સુરત સી.પી.એ (Surat Commissioner of Police) તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું (Harsh Sanghvi) મોટું નિવેદન સામે આવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા એક્સ (X) પર જણાવ્યું છે કે, સૂર્યોદય થતા પૂર્વે પથ્થરમારોને (Stone Pelters) ઝડપી પાડવામાં આવશે, તે માટે શાંતિ ડહોળાવનારા શખ્સોને ઝડપી લેવા પ્રયત્નો શરૂ કરી દીધા છે. વીડિયો અને ડ્રોન વિઝ્યુઅલ્સની મદદથી મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ જાણવા મળ્યું છે કે પથ્થરમારો (Stone Pelting) કરનારા 12 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. પથ્થરમારો કરનારાને પોલીસ ચોકીએ લવાયા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપતા કહ્યું કે, આપેલા વચન મુજબ સૂર્ય ઉગે તે પહેલાં જ 27 પથ્થરબાજોની ધરપકડ કરવામાં આવી છે. CCTV, વીડિયો વિઝ્યુઅલ્સ,  ડ્રોન વિઝ્યુઅલ્સ વગેરે ટેક્નોલોજીની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

હાલ પથ્થરબાજોની ઓળખ કરવામાં આવી રહી છે તેમજ સખ્ત પગલા ભરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું છે. સૂત્રો મુજબ, મોડી રાત સુધી પથ્થરમારા બાદ હિંદુ-મુસ્લિમ સમુદાય એકઠા થતા ઘર્ષણ થયું હતું, પરિણામે સમગ્ર વાતાવરણમાં તંગદિલી સર્જાઈ હતી. પરિસ્થિતિ વણસતાં સુરત પોલીસે લાઠીચાર્જ સાથે ટીયર ગેસ છોડ્યાં હતા. હાલ વરિયાવી બજાર, સૈયદપુરા, રામપુરા વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે.

WhatsApp Image 2024 09 09 at 7.36.59 AM સુરતમાં ગણપતિ પંડાલ પર પથ્થરમારા બાદ હર્ષ સંઘવીનું આવ્યું મોટું નિવેદન


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતથી રાતે અયોધ્યા જવા નીકળેલી આસ્થા ટ્રેન પર મહારાષ્ટ્રનાં નંદુરબાર સ્ટેશન પર પથ્થરમારો

આ પણ વાંચો:સુરતમાં સૈયદપુરા નજીક ગણપતિ પંડાલ પર પથ્થરમારો, પોલીસે શરૂ કર્યુ સઘન કોમ્બિંગ, હર્ષ સંઘવી ઘટનાસ્થળે પહોંચ્યા

આ પણ વાંચો:સુરત/ ફરી એક વખત પરપ્રાંતિયો વતન જવા બન્યા હિંસક, પોલીસ પર કર્યો પથ્થરમારો