ગુજરાતમાં કમોસમી વરસાદથી ભારે તારાજી સર્જાઇ . રવિવારે ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વાવાઝોડાં અને કરા પડતાં ઓછામાં ઓછા 14 લોકોનાં મોત થયાં હતાં. આ તોફાની વરસાદને કારણે ઓછામાં ઓછા 40 પશુઓના પણ મોત થયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, દાહોદ જિલ્લામાં ત્રણ, ભરૂચમાં બે અને અમરેલી, સુરેન્દ્રનગર, મહેસાણા, બોટાદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, સુરત અને અમદાવાદમાં એક-એક મૃત્યુ નોંધાયા હતા.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ મૃત્યુ ભારે વાવાઝોડાને કારણે થઈ શકે છે. અન્ય વિસ્તારોમાંથી ડેટા અને માહિતી આવવાની બાકી છે. જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ અને ભારે કરા પડ્યા હતા. જેના કારણે રાજ્યમાં ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુજરાતમાં 27 નવેમ્બરે પણ વરસાદ અને કરા પડવાની શક્યતા છે. અહેવાલ મુજબ 155 થી વધુ તાલુકાઓ કમોસમી વરસાદથી પ્રભાવિત થયા છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવામાનની સ્થિતિ ગંભીર હતી. રાજ્યભરના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ અને ભારે પવનનો અનુભવ થયો હતો. સુરત, અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં ભારે વરસાદ થયો હતો. આ સાથે ધુમ્મસને કારણે નબળી વિઝિબિલિટીએ ટ્રાફિક સંબંધિત પડકારોમાં વધારો કર્યો છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં રવિવાર બપોર સુધીમાં સૌથી વધુ 46 મીમી વરસાદ નોંધાયો હતો.