Gujarat News/ ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી, ગૌણ સેવા પંસદગી મંડળને મળ્યા નવા ચેરમેન

Gandhinagar Gujarat News : રાજ્ય સરકારે રાજ્યના ચાર આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. જેમાં ગૌણ સેવા પસંદગી મંડળના નવા ચેરમેનની વરણી કરવામાં આવી છે, તો રાજકોટને નવા મ્યુનિસિપલ કમિશનર મળ્યા છે.

Uncategorized

Gandhinagar Gujarat News : ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા કેટલાક IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે એક અખબારી યાદી જાહેર કરી અધિકારીઓની બદલીની માહિતી આપી છે. રાજ્ય સરકારની જાહેરાત પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડને નવા ચેરમેન મળ્યા છે. તો રાજકોટના મ્યુનિસિપલ કમિશનરની પણ બદલી કરવામાં આવી છે.

ગુજરાત સરકારે તુષાર ધોળકિયાને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન બનાવ્યા છે. પહેલા ગૌણ સેવાનો વધારાનો ચાર્જ આઈએએસ અધિકારી કમલ દાયાણી પાસે હતો. હવે સરકારે આ પદ પર તુષાર ધોળકિયાની વરણી કરી છે.

 

રાજકોટ(Rajkot)ના મ્યુનિસિપલ કમિશનર ડી.પી. દેસાઈની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે તુષાર દલપતભાઈ સુમેરાને રાજકોટના નવા કમિશનર બનાવવામાં આવ્યા છે. તુષાર સુમેરા વર્તમાનમાં ભરૂચના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યાં હતા, હવે તેમને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે.

જ્યારે ગૌરાંગ એસ મકવાણાની બદલી કરી તેમને ભરૂચના કલેક્ટર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડીપી દેસાઈની રાજકોટથી બદલી કરી અમદાવાદ(Ahmedabad) ઔડાના CEO બનાવવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યના 10 IAS અધિકારીઓની બદલી કરાઈ

આ પણ વાંચો: રાજ્યના 18 IAS અધિકારીઓની બદલી

આ પણ વાંચો: રાજયના બે IAS અધિકારીઓની બદલી, અરવલ્લી DDO કે.એન. શાહની સહકાર વિભાગમાં બદલી, સહકાર વિભાગના રજીસ્ટ્રાર તરીકે શાહની બદલી, દિપેશ કેડિયાની પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી, ટ્રાઈબલ એરીયા- પાટણ, અરવલ્લી કેડિયાની બદલી, અરવલ્લી DDOનો વધારાનો ચાર્જ દિપેશ કેડિયાને સોંપાયો