નવી દિલ્હી,
ટેરર ફંડિંગ મામલામાં હુર્રિયતના ચેરમેન મીરવાઈઝ ઉમર ફારૂક દિલ્હી NIA સામક્ષ હાજર થયા. મીરવાઈઝ આજે વહેલી સવારે જમ્મુ કાશ્મીરથી દિલ્હી જવા રવાના થયા હતા. જ્યાં સઘન સુરક્ષા વચ્ચે મીરવાઈઝ દિલ્હી ખાતે NIAના કાર્યાલય પહોચ્યાં. જ્યાં ટેરર ફંડિગ મામલે તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવશે. આપને જણાવી દઈયે કે મિરવાઝ સામે અતિ ગંભીર આરોપો છે. NIAના દરોડા દરમિયાન મિરવાઈઝના ઘરેથી 40 ફૂટની ઉંચાઈ ધરાવતુ મોબાઈલ ટાવર મળી આવ્યું હતું. ઉપરાંત અનેક આપત્તિજનક દસ્તાવેજો જપ્ત કરાયા હતા. પાકિસ્તાન દ્વારા આતંકીઓને પોષવા માટે કરવામાં આવતા ફંડીગમાં મિરવાઈઝની મોટી ભૂમિકા હોવાનું કહેવાય છે, જેને લઈને NIA દ્વારા તેને પૂછપરછ માટે નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ મિરવાઈઝ ધ્વારા સુરક્ષાનું કારણ આગળ ધરી શ્રીનગર ખાતે જ તેની પૂછપરછ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી, જ્યાં શુક્રવાર NIA દ્વારા ત્રીજી અને આખરી નોટિસ ફટકારવામાં આવી હતી.
Delhi: Kashmiri Separatist leader Mirwaiz Umar Farooq arrives at National Investigation Agency (NIA) office, to appear before the agency for questioning in connection with J&K terror funding case. pic.twitter.com/pDbHucgQvw
— ANI (@ANI) April 8, 2019
