Not Set/ છોટા શકીલનું મોત થયું છે ! આ દાવા અંગે મીડિયા રિપોર્ટમાં કરાયો ખુલાસો, જુઓ

મુંબઈના ૧૯૯૩ બ્લાસ્ટનો મુખ્ય આરોપી તેમજ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના જમણા હાથ કહેવાતા છોટા શકીલના મોતનો દાવો મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટના દાવા મુજબ છોટા શકીલના મોત બાદ દાઉદ ભારત આવવાની કોશિશ કરી રહ્યો છે. છોટા શકીલના મોતની આશંકા તેની ગેંગના બિલાલ અને શકીલના પરિવારજનોમાંથી એક વ્યક્તિ સાથે થયેલી વાતચીતની ઓડિયો કલીપના […]

Top Stories

મુંબઈના ૧૯૯૩ બ્લાસ્ટનો મુખ્ય આરોપી તેમજ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના જમણા હાથ કહેવાતા છોટા શકીલના મોતનો દાવો મીડિયામાં ચાલી રહેલા રિપોર્ટમાં કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટના દાવા મુજબ છોટા શકીલના મોત બાદ દાઉદ ભારત આવવાની કોશિશ કરી રહ્યો છે.

છોટા શકીલના મોતની આશંકા તેની ગેંગના બિલાલ અને શકીલના પરિવારજનોમાંથી એક વ્યક્તિ સાથે થયેલી વાતચીતની ઓડિયો કલીપના આધારે લગાવવામાં આવી રહી છે પરંતુ આ આશંકા અંગેની અધિકૃત પૃષ્ટિ કરવામાં આવી નથી.

દિલ્લીમાં સુરક્ષા સાથે સંકળાયેલા લોકો તેમજ મુંબઈ પોલીસના ટોચના અધિકારીઓ પણ આ દાવા અંગે કોઈ દલીલ કરી રહ્યા છે કે કોઈ પૃષ્ટિ અંગે કહી રહ્યા છે. બીજી બાજુ અન્ડરવર્લ્ડના સુત્રો દ્વારા જાણકારી મુજબ, ૫૭ વર્ષીય સકીલનું મોત ૬ જાન્યુઆરીના રોજ ઇસ્લામાબાદમાં થયું હતું.

રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ, સકીલની મોતના સમાચાર સાંભળીને દાઉદ ડિપ્રેશનમાં આવી ગયો હતો. ત્યારબાદ હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું. હવે તે ભારત આવવાની કોશિશ કરી રહ્યો છે.