Pakistan News/ જયશંકર SCO સમિટ માટે ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ પછી પાકિસ્તાનમાં ભારતના વિદેશ મંત્રી

વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. જ્યાં પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ નૂર ખાન એરબેઝ પર તેમનું સ્વાગત કર્યું હતું.

Trending World

Pakistan News: વિદેશ મંત્રી એસ. જયશંકર બુધવારે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સંમેલનમાં ભાગ લેવા માટે મંગળવારે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ પહોંચ્યા હતા. જ્યાં પાકિસ્તાનના વરિષ્ઠ અધિકારીઓએ નૂર ખાન એરબેઝ પર તેમનું સ્વાગત કર્યું હતું. જયશંકર SCO સભ્ય દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરવા માટે પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપે તેવી શક્યતા છે.

15 અને 16 ઓક્ટોબરે યોજાનારી SCO સમિટમાં ભાગ લેવા પાકિસ્તાન પહોંચેલા જયશંકર ત્યાં 24 કલાકથી ઓછો સમય વિતાવશે. જયશંકરની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત અને પાકિસ્તાનના સંબંધો ખાસ નથી. ફેબ્રુઆરી 2019માં પુલવામા હુમલા અને ત્યારબાદ બાલાકોટ એરસ્ટ્રાઈક બાદથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ છે. ઓગસ્ટ 2019માં જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ સંબંધો વધુ બગડ્યા હતા. તાજેતરમાં જ એક કાર્યક્રમમાં જયશંકરે કહ્યું હતું કે, ‘કોઈપણ પાડોશીની જેમ ભારત ચોક્કસપણે પાકિસ્તાન સાથે સારા સંબંધો રાખવા ઈચ્છશે. પરંતુ જો સીમાપારથી આતંકવાદ ચાલુ રહેશે તો આવું થઈ શકશે નહીં.

ભારતીય વિદેશ મંત્રી 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચ્યા

વિદેશ મંત્રી SCO સમિટમાં ભાગ લેવા માટે પાકિસ્તાન પહોંચી ગયા છે. નવ વર્ષ બાદ આ પ્રથમ વખત છે જ્યારે ભારતના વિદેશ મંત્રી પાકિસ્તાનની મુલાકાતે આવ્યા છે. આ પહેલા ડિસેમ્બર 2015માં તત્કાલીન વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ પાકિસ્તાન ગયા હતા. સુષ્મા સ્વરાજ અફઘાનિસ્તાન અંગે સંમેલનમાં ભાગ લેવા માટે પાકિસ્તાનની રાજધાની આવી હતી. જ્યારે કાશ્મીર મુદ્દો અને પાકિસ્તાન તરફથી સીમાપાર આતંકવાદને કારણે બંને પાડોશીઓ વચ્ચેના સંબંધોમાં તણાવ છે.

SCO શું છે?

એપ્રિલ 1996 માં એક મીટિંગ થઈ. તેમાં ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન અને તાજિકિસ્તાને ભાગ લીધો હતો. આ બેઠકનો હેતુ વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા માટે એકબીજાને સહકાર આપવાનો હતો. ત્યારે તેને ‘શાંઘાઈ ફાઈવ’ કહેવામાં આવતું હતું. જો કે, તેના ખરા અર્થમાં તેની રચના 15 જૂન 2001ના રોજ થઈ હતી. ત્યારબાદ ચીન, રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાને ‘શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન’ની સ્થાપના કરી. આ પછી વંશીય અને ધાર્મિક તણાવ દૂર કરવા ઉપરાંત બિઝનેસ અને રોકાણ વધારવા પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.

1996માં જ્યારે શાંઘાઈ ફાઈવની રચના કરવામાં આવી હતી, ત્યારે તેનો ઉદ્દેશ્ય ચીન અને રશિયાની સરહદો પર તણાવને રોકવાનો હતો અને તે સરહદોને કેવી રીતે સુધારી શકાય. કારણ કે તે સમયે રચાયેલા નવા દેશોમાં તણાવ હતો. આ ઉદ્દેશ્ય માત્ર ત્રણ વર્ષમાં હાંસલ કરવામાં આવ્યો હતો. તેથી તે સૌથી અસરકારક સંસ્થા માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિદેશ મંત્રી એસ જયશંકર ‘ભારત અને રશિયાના સંબંધો હંમેશા સકારાત્મક રહ્યા છે’

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી લડશે એસ જયશંકર? હવે ખુદ વિદેશ મંત્રીએ આપ્યો જવાબ

આ પણ વાંચો:ભારત-રશિયાના સંબંધો પર 2024ની લોકસભા ચૂંટણીના પરિણામનીકોઈ અસર નહીં પડે, એસ જયશંકર