Pregnancy Bible Controversy: ફિલ્મ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan)ના પુસ્તક ‘પ્રેગ્નન્સી બાઈબલ’ વિવાદ (Pregnancy Bible Controversy) સાથે જોડાયેલા કેસમાં હાઈકોર્ટની નોટિસનો જવાબ આપ્યો છે. પુસ્તકના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા જવાબમાં દલીલ કરવામાં આવી છે કે પુસ્તક દ્વારા કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો કોઈ ઈરાદો નથી.
ક્રિસ્ટોફર એન્થોનીએ પુસ્તકના શીર્ષકથી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની અરજી દાખલ કરી છે ત્યારે આ મામલે હાઈકોર્ટ આગામી સપ્તાહે સુનાવણી કરશે. કરીનાએ આ પુસ્તક તેના ગર્ભાવસ્થાના અનુભવો પર લખ્યું છે. એવી દલીલ કરવામાં આવી છે કે પુસ્તકના શીર્ષકમાં ‘બાઇબલ’ શબ્દ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે.
આ પણ વાંચો:શું કરીના કપૂર ત્રીજી વખત છે ગર્ભવતી? ફોટો જોયા બાદ ચાહકો મુકાયા મૂંઝવણમાં
આ પણ વાંચો:કરીના કપૂર આ અંદાજમાં પરિવાર સાથે લંડનમાં સમય વિતાવી રહી છે, જુઓ તસવીર
આ પણ વાંચો:કરીના કપૂર ખાન અને અનન્યા પાંડેના ઘરે પહોંચી પોલીસ, જાણો શું છે સમગ્ર મામલો?