સત્ત મળતે શાન ગુમાવનારા ઘણા નેતા આપને જોઇ ચૂક્યા છીએ અને સત્તા મેળવવા માટે અને સત્તમાં આવ્યા પછી મદનાં માર્યા રાજકારણીઓ એવા એવા વિધાનો અને કોઇકનાં માટે ઉતરતી કક્ષાનાં વચનો બોલે છે જે સાંભળી આપણને પણ સવાલ ઘણીવાર થતો હોય છે કે, શું આ નેતાને લોકો દ્વારા જ ચૂંટવામાં આવ્યા હશે ? શું આને લોક પ્રતિનિધી કહેવાય ખરા? અને આવું એક વિધાન મહારાષ્ટ્રનાં શિવસેનાનાં નેતા દ્વારા કરી દેવામાં આવ્યું છે. ગુંડાને પણ સરમાવે તેવા વિધાનની સાથે સાથે નેતાજી દ્વારા સેવાની પણ વાત કઇક આવા અંદાજમાં કરી નાખી છે.
શિવસેનાના ધારાસભ્ય અબ્દુલ સત્તાર દ્વારા કહેવામાં આવ્યું કે, “કોઈ ભી અગર શિવસેના કે ધારાસભ્ય કો ફોરને કી કોશીષ કરેગા તો હમ ઉનકા સર ફોર દેંગે, ઉસકે સાથ ઉસકે પેંર ભી તોડ દેંગે, લેકિન દાવખાને કા ભી ઇંતઝામ શિવસેના હી કરેગી. ઉનકે લિયે એમ્બ્યુલન્સ ભી તાયાર રહેગી.”
#WATCH Abdul Sattar, Shiv Sena MLA: Koi bhi agar Shiv Sena ke MLA ko phorne ki koshish karega toh hum unka sar phorh denge, uske sath uska paon bhi torh denge, lekin dawakhane ka bhi intezam Shiv Sena karegi. Unke liye ambulance bhi tayar rahegi. pic.twitter.com/fno4KFXWpx
— ANI (@ANI) November 21, 2019
મહારાષ્ટ્રમાં છેલ્લા લાબાં સમયથી કોણ સરકાર રચશે તેની ગુલથી સુલજવાનું નામ નથી લઇ રહી અને અંતે ગઇ કાલે કોંગ્રેસ-NCA દ્વારા શિવસેનાનો સાથ આપી સરકાર રચવાની ફોર્મ્યુલા પર હા ની મોહર મારવામાં આવી છે. ત્યારે આજે શિવસેનાનાં તમામ વિઘાયકો માતોશ્રી ખાતે મળશે અને ત્યાર બાદ ત્યાંથી રાજસ્થાનનાં જયપુર શહેરમાં લઇ જવાશે અથવા જશે, શિવસેનાને ભય છે કે સરકાર રચનાનું કનફર્મ થતા અન્ય પક્ષો પોતના ધારાસભ્યોનું ટ્રેડિંગ કરશે
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
