Not Set/ માયાવતીનાં સુર બદલાયા, વિપક્ષનાં કાશ્મીર પ્રવાસને લઇને કહી આ મોટી વાત

બહુજન સમાજ પાર્ટી (બસપા) નાં સુપ્રિમો માયાવતીએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનાં મુદ્દે ફરી એક વખત કેન્દ્ર સરકારને સમર્થન આપતા કહ્યું છે કે, ત્યા પરિસ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગશે. ટ્વિટ કરીને વિપક્ષની કાશ્મીર મુલાકાતની ટીકા કરતા માયાવતીએ કહ્યું કે, ત્યા જતા પહેલાં તેમણે આ વિશે થોડું વિચારવુ જોઇતુ હતુ. માયાવતીએ એક પછી એક ટ્વીટ કરીને […]

India

બહુજન સમાજ પાર્ટી (બસપા) નાં સુપ્રિમો માયાવતીએ જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનાં મુદ્દે ફરી એક વખત કેન્દ્ર સરકારને સમર્થન આપતા કહ્યું છે કે, ત્યા પરિસ્થિતિ સામાન્ય થવામાં થોડો સમય લાગશે. ટ્વિટ કરીને વિપક્ષની કાશ્મીર મુલાકાતની ટીકા કરતા માયાવતીએ કહ્યું કે, ત્યા જતા પહેલાં તેમણે આ વિશે થોડું વિચારવુ જોઇતુ હતુ.

માયાવતીએ એક પછી એક ટ્વીટ કરીને કહ્યું, ‘જેમકે જાણીતું છે કે બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકર હંમેશા દેશની સમાનતા, એકતા અને અખંડિતતાનાં પક્ષમાં રહ્યા છે, તેથી તેમણે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં અલગ કલમ 370 ની જોગવાઈ કરવાના પક્ષમાં નહોતા. આ કારણોસર, બસપાએ સંસદમાં આ કલમને દૂર કરવા સમર્થન આપ્યું હતુ. પરંતુ દેશમાં બંધારણનાં અમલીકરણનાં આશરે 69 વર્ષ પછી આ કલમ 370 નો અંત આવ્યા બાદ, પરિસ્થિતિને સામાન્ય થવા માટે ચોક્કસપણે થોડો સમય લાગશે. થોડી રાહ જોવી તે વધુ સારું છે, જેને માનનીય અદાલતે પણ સ્વીકાર્યું છે.

ત્રીજી ટ્વિટમાં માયાવતીએ કહ્યું છે કે, ‘તાજેતરમાં જ કોઇ અનુમતિ વિના કોંગ્રેસ અને અન્ય પક્ષોનાં નેતાઓનું કાશ્મીર જવુ, કેન્દ્ર અને ત્યાના રાજ્યપાલને રાજકારણ કરવાની તક આપવાનું આ પગલું નથી? જો આપણે ત્યાં જતા પહેલા થોડું વિચાર્યું હોત તો તે યોગ્ય હોત. ‘ઉલ્લેખનીય છે કે માયાવતી શરૂઆતથી જ કલમ 370 હટાવવાનાં કેન્દ્રનાં નિર્ણયને ટેકો આપી રહી છે.

આપને જણાવી દઈએ કે, શનિવારે રાહુલ ગાંધી સહિત 9 પક્ષોનાં નેતાઓ, કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓ રદબાતલ થયા બાદ પરિસ્થિતિને નજીકથી જોવા કાશ્મીર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શ્રીનગર એરપોર્ટ પહોંચ્યા ત્યારે રાજ્ય વહીવટીતંત્રએ તેમને એરપોર્ટ છોડવાની મંજૂરી આપી ન હોતી અને તેમને પાછા દિલ્હી મોકલી દીધા હતા. જે બાદ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું હતું કે, “જમ્મુ-કાશ્મીરની જનતાની સ્વતંત્રતા અને નાગરિક સ્વતંત્રતાને કાબૂ કરવામાં 20 દિવસ થયા છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.