અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી 21 ફેબ્રુઆરીએ યોજાવાની છે. દરમિયાન શહેરના 48 વોર્ડનાં 192 ઉમેદવારોની યાદીમાં ભાજપે એક પણ લઘુમતી કાર્યકરને ટિકિટ ફાળવી નથી. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ લઘુમતી બહુમતી ધરાવતાં જમાલપુર – દાણીલીમડા – બહેરામપુરા – સરખેજ – મક્તમપુરા – ગોમતીપુર – દરિયાપુર કે શાહપુર વિસ્તારમાંથી 22 લઘુમતી કાર્યકરોએ ટિકિટની માંગ કરી હતી.
પરંતુ ભાજપ દ્વારા એક પણ દાવેદારને ટિકિટ ફાળવી નથી. આ વખતે ઔવેશીની પાર્ટી પણ જ્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં ઝૂકાવશે ત્યારે બહુમતી લઘુમતી વસતી ધરાવતાં વિસ્તારમાં પણ ભાજપે લઘુમતી કાર્યકરની પસંદગી કરી નથી. ત્યારે આ વિસ્તારમાં હવે ભાજપ કયા મુદ્દા આધારિત કોર્પોરેશનની ચૂંટણીમાં જનમતને જીતશે, તે જોવાનું રહેશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
