દેશમાં કોરોનાવાયરસના નવા કેસમાં ફરી ઉછાળો આવ્યો જોવા મળી રહ્યો છે, તેની સાથે સાજા-સારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તે સૌથી મોટા આશાના કિરણ સમાન છે કે 24 કલાકમાં 3.27 લાખથી વધુ લાખ દર્દીઓ સાજા થયા છે.
દેશમાં કોવિડ -19 વાયરસના નવા કેસ 4.10 લાખથી વધુ નોંધાયા છે, દેશમાં કુલ મૃત્યુઆંક હવે 2.25 લાખને પાર જ્યારે એક્ટિવ કેસ સાડા 36.44 લાખ નજીક નોંધવામાં આવ્યા છે.આ સાથે છેલ્લા 24 કલાકમાં 3920 લોકોનાં મોત કોરોના વાયરસથી થયા છે તે એક ચિંતાનો વિષય ગણી શકાય.
દેશનાં તમામ રાજ્યોમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 62194 નોંધવામાં આવ્યા છે.જોકે મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવ્યા પછી દવા કેસના આંકડામાં ફરીથી મોટો ઉછાળો આવ્યો છે.તે પણ મહારાષ્ટ્ર સરકાર માટે તે ફરીથી ચિંતાનો વિષય ગણી શકાય.
અન્ય રાજ્યોના કોરોના નવા કેસ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં 26622, કર્ણાટકમાં 40058, કેરળમાં42164, દિલ્હીમાં 19133,મધ્યપ્રદેશમાં 12236 રાજસ્થાનમાં 17532, મધ્યપ્રદેશમાં 12442, ગુજરાતમાં 12545, બિહારમાં 15126, તમિલનાડુમાં 2498, પશ્ચિમ બંગાળમાં 18431, આંધ્રપ્રદેશમાં21954 જ્યારે હરિયાણામાં 14840 જ્યારે ઓરિસ્સામાં 10521 કેસ કેસ નોંધાયા છે.

