બેંગલુરુ,
ગુજરાતના વડગામના અપક્ષ ધારસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી હાલમાં કર્ણાટકના વિધાનસભા ચુંટણીના પ્રચારમાં છે. જિજ્ઞેશ મેવાણી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને વિવાદ છેડાયો છે. કર્ણાટકમાં વિધાનસભા ચુંટણીના પ્રચારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં અવરોધ ઉભો કરવાની સલાહ આપનાર નેતા જિજ્ઞેશ મેવાણીના વિરુદ્ધમાં FIR નોંધાવી છે. જિજ્ઞેશ મેવાણીએ કર્ણાટકમાં ભાજપના વિરુદ્ધ મોરચો ખોલ્યો છે.
#WATCH: Jignesh Mevani says, 'Biggest role of Karnataka's youth should be to enter PM's campaign program in Bengaluru on 15th, hurl chairs in the air & disrupt it, then ask him what happened to 2 cr jobs? If he can't answer ask him to go to Himalayas' #Chitradurga #Karnataka pic.twitter.com/3rykIfOFsp
— ANI (@ANI) April 6, 2018
ચિત્રદુર્ગમાં ચુંટણી પ્રચાર દરમિયાન મેવાણીએ લોકોને અપીલ કરતા કહ્યું કે બધા લોકો પ્રધાનમંત્રી મોદીની સભામાં ખુરશીઓ ઉછાળો. 15 એપ્રિલે બેંગલુરુમાં થવાના પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થાય અને સભા સ્થળ પર હંગામો કરો. મેવાણીએ આગળ કહ્યું કે પ્રધાનમંત્રીને પૂછો કે રોજગારનું શું થયું. જો તેમની પાસે કોઈ પણ જવાબ ના મળે તો કહો કે હિમાલય જતા રહે.
જિજ્ઞેશ મેવાણીએ ટ્વીટ કર્યું અને રોજગારનો સવાલ કરવા પર FIR કરી હોવાનો આરોપ લગાવ્યો.
हमारी और प्रकाश राज की जनसभा को बंध करवाने के लिए काले जंडे और डंडे लेकर भाजपा के जो गुंडे शिवमोगा में आ धमके उनके सामने कोई एफआईआर नही, जिन्होंने भारत बंद के कॉल में दलितो की छाती पर गोलियां दागी उनके सामने कोई करवाई नही लेकिन हमने 2 करोड युवा के लिए रोजगार मांगा तो FIR ?
— Jignesh Mevani (@jigneshmevani80) April 7, 2018
