Not Set/ VIDEO : કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયેલા શિવભક્ત રાહુલની પ્રથમ તસ્વીર આવી સામે

નવી દિલ્હી, ગત શુક્રવારથી કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પર નીકળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રથમ તસ્વીર તેમજ એક વીડિયો સામે આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી યાત્રા પર આવેલા અન્ય શ્રદ્ધાળુઓ સાથે તસ્વીરોમાં જોઈ શકાય છે. #WATCH:Congress President Rahul Gandhi during #KailashMansarovarYatra with other pilgrims pic.twitter.com/G4XUjss0zu— ANI (@ANI) September 7, 2018 અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાશ માનસરોવરની […]

Top Stories India Trending Videos
Dmd6C02XcAAiqOn e1536304896942 VIDEO : કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયેલા શિવભક્ત રાહુલની પ્રથમ તસ્વીર આવી સામે

નવી દિલ્હી,

ગત શુક્રવારથી કૈલાશ માનસરોવરની પવિત્ર યાત્રા પર નીકળેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રથમ તસ્વીર તેમજ એક વીડિયો સામે આવ્યા છે. જેમાં રાહુલ ગાંધી યાત્રા પર આવેલા અન્ય શ્રદ્ધાળુઓ સાથે તસ્વીરોમાં જોઈ શકાય છે.

Dmd7CqCXgAAqW n VIDEO : કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયેલા શિવભક્ત રાહુલની પ્રથમ તસ્વીર આવી સામે
NATIONAL-rahul-gandhi-kailash-picture-mansarovar-yatra-other-pilgrims

અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાશ માનસરોવરની યાત્રા દરમિયાન ઉપર ચઢવા માટેનો રસ્તો ખુબ મુશ્કેલ છે. આ દરમિયાન યાત્રાળુઓ ખચ્ચરની મદદથી પોતાની સફર પૂર્ણ કરતા હોય છે, પરંતુ રાહુલ ગાંધીએ આ મુશ્કેલીભરી યાત્રા પગપાળા પૂરી કરી હતી.

https://twitter.com/RahulGandhi/status/1037923511715680256

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિના કોઈ રુકાવટ વગર ૧૩ કલાકમાં ૩૪ કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા હતા. શુક્રવાર સવારે જે વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ આ સફર પૂર્ણ કર્યા બાદ કેમ્પમાં પાછા ફરી રહ્યા છે.

Dmd69ZfXoAEqVRl VIDEO : કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયેલા શિવભક્ત રાહુલની પ્રથમ તસ્વીર આવી સામે
NATIONAL-rahul-gandhi-kailash-picture-mansarovar-yatra-other-pilgrims

આ પહેલા પણ રાહુલ ગાંધીએ પોતાની યાત્રાને લઇ કેટલાક અનુભવો શેર કર્યા હતા.

https://twitter.com/RahulGandhi/status/1037185035881902080

સોમવારે માનસરોવરની યાત્રાને લઇ પોતાના આધ્યાત્મિક અનુભવો શેર કરતા ભોલે ભક્ત રાહુલ ગાંધીએ જણાવ્યું કે, “કોઈ પ વ્યક્તિ ત્યારે જ કૈલાશ જઈ શકે છે, જયારે તેઓ બોલાવે છે. હું આ સૌભાગ્ય પામીને ખુશ છું”.

બીજી બાજુ કૈલાશ માનસરોવરના તળાવની દિવ્યતા અને ભવ્યતા અંગે તેઓએ જણાવતા વર્તમાન સરકાર પર પણ ઈશારો ઈશારોમાં નિશાન સાધ્યું હતું.

https://twitter.com/RahulGandhi/status/1037200078673522699

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “માનસરોવર તળાવનું પાણી ખુબ જ શાંત, સ્થિર અને કોમળ છે. આ તળાવ બધું જ અર્પણ કરે છે અને સામે કઈ પણ લેતા નથી. આ પાણીને કોઈ પણ ગ્રહણ કરી શકે છે. આ કોઈ જ ધૃણા નહિ. તેથી જ ભારતમાં આ તળાવને પૂજવામાં આવે છે”.

કૈલાશ મોકલે છે આમંત્રણ

Kailash Manasarovar Yatra Ex 1 VIDEO : કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયેલા શિવભક્ત રાહુલની પ્રથમ તસ્વીર આવી સામે
NATIONAL-rahul-gandhi-kailash-picture-mansarovar-yatra-other-pilgrims

રાહુલ ગાંધીએ પોતાની પવિત્ર યાત્રા અંગે લખ્યું કે, “આ સૌભાગ્ય તેને જ મળે છે જેઓ કૈલાસ બોલાવે છે. કોઈ પણ વ્યક્તિ ત્યારે જ કૈલાસ માનસરોવર જાય છે, જયારે તેઓ દ્વારા બોલાવવમાં આવે છે. આ સૌભાગ્ય પામીને હું ખુબ જ ખુશી અનુભવી રહ્યો છું”.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, “આ પવિત્ર અને ખુશીથી ભરેલી યાત્રા દરમિયાન હું એ જે જોયું, તે અંગે હું તમારી સાથે શેર કરતો રહીશ”.

rahul gandhi malabagilu kurudumale temple 2 1 1 VIDEO : કૈલાશ માનસરોવરની યાત્રા પર ગયેલા શિવભક્ત રાહુલની પ્રથમ તસ્વીર આવી સામે
NATIONAL-rahul-gandhi-kailash-picture-mansarovar-yatra-other-pilgrims

અત્રે ઉલ્લેખનીય છે કે, કૈલાસ માનસરોવરની આ યાત્રા ૧૨ દિવસની છે અને તેઓ ૧૨ સપ્ટેમ્બરના રોજ યાત્રા પરથી પાછા ફરી શકે છે.

બીજી બાજુ દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી પોતાને એક હિન્દુત્વનો ચહેરો તરીકે સાબિત કરવા માંગતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા મંદિરો, મઠ તેમજ ધાર્મિક સ્થળોની યાત્રા કરી રહ્યા છે.