Not Set/ રેપ એ રેપ છે આ ઘટના અંગે રાજકારણ ન રમવું જોઈએ : લંડનમાં પીએમ મોદી

લંડન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬ દિવસીય વિદેશ યાત્રાએ ઈંગ્લેંડ પહોંચ્યા બાદ તેઓ લંડન ખાતે “ભારત કી બાત સબકે સાથ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લંડનના વેસ્ટમિસ્ટર સેન્ટ્રલ હોલ ખાતે યોજાયેલા “ભારત કી બાત સબકે સાથ” કાર્યક્રમમાં તેઓએ કઠુઆ ગેંગરેપ કેસ અંગે, વિપક્ષી દળો તેમજ પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાનને પણ સણસણતો જવાબ આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન […]

Top Stories India

લંડન,

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬ દિવસીય વિદેશ યાત્રાએ ઈંગ્લેંડ પહોંચ્યા બાદ તેઓ લંડન ખાતે “ભારત કી બાત સબકે સાથ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. લંડનના વેસ્ટમિસ્ટર સેન્ટ્રલ હોલ ખાતે યોજાયેલા “ભારત કી બાત સબકે સાથ” કાર્યક્રમમાં તેઓએ કઠુઆ ગેંગરેપ કેસ અંગે, વિપક્ષી દળો તેમજ પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાનને પણ સણસણતો જવાબ આપ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ પોતાની સરકારની જનકલ્યાણ અંગેના કામની જાણકારી આપી હતી તેમજ પોતાની સરકારની તુલના અન્ય સરકાર સાથે કરવા માટે પણ કરી હતી.

પીએમ મોદીએ સર્જિકલ સ્ટ્રાઈક અંગે પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાનને વળતો જવાબ આપતા જણાવ્યું હતું કે, “અમારી સરકારે સર્જિકલ સ્ટ્રાઈક કર્યાં બાદ મીડિયાને જણાવ્યા પહેલા પાક.ની સેનાને ફોન કરીને કહ્યું, તમે તમારા સૈનિકોની મૃતદેહ લઇ જાવ”.

આ ઉપરાંત વેસ્ટમિસ્ટર સેન્ટ્રલ હોલમાં કઠુઆ ગેંગરેપની ઘટના અંગે જણાવતા તેઓએ કહ્યું, “રેપ એ રેપ છે આ ઘટના અંગે રાજકારણ ન રમવું જોઈએ”.

તાજેતરમાં સામે આવેલી કઠુઆ ગેંગરેપ અને ઉન્નાવ ગેંગરેપની ઘટનાઓ અંગે પીએમ મોદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “આ પ્રકારની ઘટનાઓ દર્દનાક છે. આ માત્ર કોઈ વ્યક્તિ વિશેષ નહિ પણ સમાજનું પણ અપમાન છે”.

તેઓએ કહ્યું, “બળાત્કાર એ બળાત્કાર છે, આ સમયે અમારી સરકારમાં કેટલા રેપ થયા અને તમારી સરકારમાં કેટલા થયા હતા તેની વાત કરીને આ ગંભીર ઘટના અંગે રાજકારણ ન રમવું જોઈએ”.

પીએમ મોદીએ આ ઘટનાઓ અંગે વધુમાં જણાવતા કહ્યું, ” મેં આ પહેલા દિલ્લીના લાલકિલ્લા પરથી પણ આ વાત કરી હતી કે હંમેશા દીકરીઓને જ શા માટે બધા સવાલો પૂછવામાં આવે છે. દીકરીઓની સાથે માતા પિતા પોતાના દીકરાઓને પણ ક્યારેક પુચવું જોઈએ કે તે ક્યાં ગયો હતો.

આ દેશ માટે પણ એક ચિંતાનો વિષય છે. કારણ કે આ ગંભીર કૃત્ય કરનારા દીકરા પણ કોઈના સંતાન છે અને તેના ઘરમાં પણ માં-બહેન હોય છે.

આ ઉપરાંત તેઓએ ટાઉનહોલ ઇવેન્ટમાં એક શ્રોતા દ્વારા પીએમ મોદીને તેમની કામ કરવાની શક્તિ પાછળ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો. આ સવાલનો જવાબ આપતા તેઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષથી તેઓ દરરોજ ૧-૨ કિલો ગાળો ખાઈ રહ્યા છે.

વેસ્ટમિસ્ટર સેન્ટ્રલ હોલમાં પીએમ મોદીએ ચા વેચવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ અંગે જણાવતા તેઓએ જણાવ્યું, ૨૦૧૪ની લોકસભા ચૂંટણી દરમિયાન એક વિષય પર મારી ભરપૂર ટીકા કરવામાં આવતી હતી. મોદી ચા વેચનાર છે, માત્ર એક રાજ્યના મુખ્યમંત્રી છે, તેનાથી શું થશે. વિદેશનીતિની કઈ રીતે સમજી શકશે. દેશનો ભટ્ટો બેસાડી દેશે. પરંતુ આજે જયારે આ સરકારને ૪ વર્ષ થયા પછી કોઈ આ પ્રશ્ન ઉઠાવી શકશે નહીં. તેનું કારણ મોદી નથી. મોદીને સવા સો કરોડ લોકોની તાકતનો ભરોસો છે.

મહત્વનું છે કે, આ પહેલા પોતાની વિદેશ યાત્રાના પહેલા પડાવમાં સ્વિડન પહોંચ્યા બાદ તેઓ બ્રિટેન પહોચ્યા હતા. બ્રિટેન પહોચ્યા બાદ પીએમ મોદીએ મહારાણી એલિઝાબેથ દ્વિતીય સાથે બકિંઘમ પેલેસ ખાતે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેઓએ ઈંગ્લેંડના પ્રધાનમંત્રી ટેરેસા મે સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.