- ગુજરાતમાં હવે પ્રદર્શનકારીઓની ખેર નહીં
- ‘કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ’ને રાષ્ટ્રપતિની મંજૂરી
- કલમ 144નું ઉલ્લંઘન કરનાર સામે હવે નોંધાશે ગુનો
- માર્ચ-2021માં ગુજરાત વિધાનસભામાં બિલ કરાયુ હતુ રજૂ
- સરકાર વિરોધી આંદોલનોમાં હવે પોલીસ પોતે જ ફરિયાદી બની શકશે
Code of Criminal Procedure ગુજરાતમાં હવે પ્રદરર્શન કરતા પહેલા વિચાવુ પડશે કારણ કે રાષ્ટ્રપતિએ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને મંજૂરી આપી દીધી છે. માર્ચ-2021માં ગુજરાત વિધાનસભામાં રજૂ કરાયેલાં કોડ ઓફ ક્રીમીનલ લ પ્રોસીજર બિલને રાષ્ટ્રપતિ મુર્મુએ મંજૂરી આપી છે. આ કારણોસર હવે ૧૪૪મી કલમનુ ઉલ્લંઘન કરનારાં દેખાવકારો સામે પોલીસ કાર્યવાહી કરી શકશે. આ બિલ મંજૂર થતા જ પોલીસને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી કરવાની છૂટ મળી છે. સૌથી મોટીં ચિંતા નેતાઓને થવાની છે. જેઓ 144ની કલમ હોવા છતાં દેખાવ કરે છે. ગુજરાતમાં હવે આ બિલને મંજૂરી મળી જતાં આ બિલ એ કાયદો બની જશે.
આ કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલને મંજૂરી મળતા હવે પ્રદર્શનકારીઓ પર ગાળિયો મજબૂૂત કરાયો છે. હવે સરકારી વિરોધી આંદોલનોમાં હવે પોલીસ પોતે જ ફરિયાદી બની શકે છે.કોડ ઓફ ક્રિમિનલ પ્રોસીજર બિલ રજૂ કરાયું હતું. આ બિલને મંજૂરી મળતા જ જયારે હિંસક ઘટના બને ત્યારે પોલીસ અધિકારીઓ પ્રદર્શનકારીઓ વિરુધ્ધ સેક્શન 188 આઇપીસી હેઠળ કાયદાકીય કાર્યવાહી કરી શકશે. એટલુ જ નહી, દેખાવકારો સામે પોલીસ ફરિયાદ નોંધાશે. સાથે સાથે જો પ્રદર્શનકારીઓ સામે પોલીસ અધિકારી પગલાં લેશે તો કોર્ટ પણ અવમાનનાનો કેસ નોંધશે નહી.આ બિલને કાયદાે બની જશે.
નોંધનીય છેકે, ગુજરાત સરકાર, પોલીસ કમીશ્નર, ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટને 144 મી કલમ લાગુ કરવાનો અધિકાર છે. હવે જયારે કોડ ઓફ ક્રીમીનલ પ્રોસિજર બિલ-૨૦૨૧ના બિલને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે ત્યારે 144 મી કલમને લગતા કોઇપણ નિયમનો ભંગ કરવામાં આવે તો કાર્યવાહી કરવામાં આવશે. પોલીસને પણ આ બિલ કાયદો બની જતાં સૌથી મોટી રાહત થશે, અત્યારસુધીમાં પોલીસને કાર્યવાહી કરવામાં સમસ્યા ઉભી થતતી હતી.