Not Set/ ધોનીની નિવૃત્તિનાં સમાચાર પર પત્ની સાક્ષીએ ટ્વિટમાં લખ્યું- “આને કહેવાય અફવા”

વિરાટ કોહલી દ્રારા MS ધોની સાથે જૂની મેચની યાદ તાજી કરતી ટ્વીટ કરી અને માહીની નિવૃત્તિ લેવાની અફવાઓ ને ઓર વેગ આપ્યો હતો. આપને જણાવી દઇએ કે સવારથી MS ધોનીની નિવૃતીની વાતો સોશિયલ મીડિયા ફરી રહી છે. ક્રિકેટ ચાહકો તરફથી વિદાય સંદેશ સોશિયલ મીડિયા પર એટલા તો આપવામાં આવ્યા છે કે, ધોની છલકાઇ ગયો હતો. […]

Uncategorized

વિરાટ કોહલી દ્રારા MS ધોની સાથે જૂની મેચની યાદ તાજી કરતી ટ્વીટ કરી અને માહીની નિવૃત્તિ લેવાની અફવાઓ ને ઓર વેગ આપ્યો હતો. આપને જણાવી દઇએ કે સવારથી MS ધોનીની નિવૃતીની વાતો સોશિયલ મીડિયા ફરી રહી છે. ક્રિકેટ ચાહકો તરફથી વિદાય સંદેશ સોશિયલ મીડિયા પર એટલા તો આપવામાં આવ્યા છે કે, ધોની છલકાઇ ગયો હતો.

જો કે, ધોનીની પત્ની સાક્ષીએ એક ટ્વિટમાં ક્રિકેટ ચાહકોને સંકેત આપવાનો પ્રયાસ કર્યો હતો કે માહી હાલ રિટાયર થવાનો નથી અને સોશિયલ મીડિયા પર જે ચાલી રહ્યું છે તે માત્ર એક અફવા છે. ધોની સાથે 2016 ના ટી -20 વર્લ્ડ કપ દરમિયાન વિરાટે ઓસ્ટ્રેલિયા સામેની મેચની તસવીર શેર કરતાની સાથે જ સમાચાર આવવા લાગ્યા હતા કે ધોની તેના વતન રાંચીમાં સાંજે 7 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્રિકેટને અલવિદા કહી દેશે.

એમએસ ધોની અને તેની પત્ની સાક્ષી જે.પી.જી.
સાક્ષી ધોનીએ ટ્વિટ કરીને કહ્યું કે, આને જ કહેવાય અફવા. નોંધપાત્ર વાત એ છે કે, બીસીસીઆઈના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે પણ દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી માટેની ટીમ ઈન્ડિયાની જાહેરાત કર્યા પછી પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે ધોનીની નિવૃત્તિ સંબંધિત કોઈ માહિતીની તેમની પાસે જાણકારી નથી. જે છે તે માત્ર એક અફવા છે.
મહત્વનું છે કે વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે ટીમ ઈન્ડિયાની પરાજય બાદ ધોનીએ 2 મહિના માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. આ દરમિયાન ધોનીએ ભારતીય સેના સાથે જમ્મુ-કાશ્મીરમાં 15-દિવસીય તાલીમ પૂર્ણ કરી. એમ.એસ. ધોનીને ભારતીય પ્રાદેશિક સૈન્ય દ્વારા લેફ્ટનન્ટ કર્નલનો માનદ પદવી એનાયત કરાયો છે. તે આર્મીનો ટ્રેન્ડ પેરા ટ્રૂપર પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.