વડાપ્રધાન મોદીએ આજે દેશની સૌથી ઉંચી પંડિત દિનદયાલની પ્રતિમાનું અનાવરણ કર્યુ છે. આપને જણાવી દઇએ કે, આ પ્રતિમાને તૈયાર કરવામાં એક વર્ષમાં 200 થી વધુ કારીગરોની મહેનત છે.
Prime Minister Narendra Modi inaugurates the 63 feet statue of former Bhartiya Jana Sangh leader Deendayal Upadhyaya in Varanasi. pic.twitter.com/RGnElRbfqB
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ‘કાશી મહાકાલ એક્સપ્રેસ’ ને લીલી ઝંડી બતાવી હતી..
वाराणसी: प्रधानमंत्री नरेंद्र मोदी ने वीडियो कांफ्रेंस के जरिए 'काशी महाकाल एक्सप्रेस' को हरी झंडी दिखाकर रवाना किया। pic.twitter.com/MqoQOBNSwW
— ANI_HindiNews (@AHindinews) February 16, 2020
પીએમ મોદીએ કહ્યું, ‘નમામી ગંગે અભિયાન અંતર્ગત 7 હજાર કરોડનાં પ્રોજેક્ટ્સનું કામ પૂર્ણ થઈ ગયું છે. 21 હજાર કરોડ રૂપિયાથી વધુનાં પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે. જે પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે અમે તે પૂર્ણ કરવા પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
WATCH: PM Narendra Modi speaks at inauguration of Deendayal Upadhyaya's statue and other projects in Chandauli https://t.co/OfgFStXkrH
— ANI (@ANI) February 16, 2020
વારાણસીની જનતાને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, દેશ માત્ર સરકારોથી બનતુ નથી પરંતુ દરેક નાગરિકનાં સંસ્કારોથી બને છે. નાગરિકનાં સંસ્કારો તેની ફરજની ભાવનાને શ્રેષ્ઠ બનાવે છે. નાગરિક તરીકેનું અમારું વર્તન ભારતનું ભવિષ્ય નક્કી કરશે, નવા ભારતની દિશા નક્કી કરશે.
પીએમ મોદીએ કહ્યું, ‘સંસ્કૃત ભાષા અને અન્ય ભારતીય ભાષાઓને જ્ઞાનનું માધ્યમ બનાવીને તમે ટેકનોલોજીનો સમાવેશ કરી રહ્યા છો, તે પણ આશ્ચર્યજનક છે. સરકારનો પણ આ પ્રયાસ છે કે સંસ્કૃત સહિતની તમામ ભારતીય ભાષાઓનો વિસ્તાર કરવામાં આવે, યુવા પેઢીને તેનો લાભ મળે.
પીએમ મોદીએ કહ્યું, ભારતમાં રાષ્ટ્રનો અર્થ તે ક્યારેય રહ્યો નથી કે કોણે ક્યા જીત મેળવી, કોની ક્યા હાર થઇ! અમારા ત્યા રાષ્ટ્ર સત્તા દ્વારા નહીં પરંતુ સંસ્કૃતિ અને સંસ્કારો દ્વારા બનાવવામાં આવે છે, તે અહીં રહેતા લોકોની ક્ષમતાથી બનાવવામાં આવ્યું છે
પીએમ મોદીએ કહ્યું, ‘તુલસીદાસ જી કહેતા-‘ સંત સમાગમ હરિ કથા તુલસી દુર્લભ દોઉ’. આ ભૂમિની વિશેષતા છે. આવી સ્થિતિમાં, સંત પરંપરાને યુવા પેઢી સુધી પહોંચાડનારા જગદગુરુ વિશ્વરાધ્ય ગુરુકુળનાં શતાબ્દી વર્ષ પૂર્ણ થવુ એ એક ગૌરવપૂર્ણ ક્ષણ છે.
પીએમ મોદીએ વારાણસીનાં જંગમવાડી મઠ ખાતે પ્રાર્થના કરી. યોગી આદિત્યનાથની સાથે રાજ્યપાલ આનંદીબેન પટેલ અને કર્ણાટકનાં મુખ્ય પ્રધાન યેદુરપ્પા પણ હાજર હતા.
Varanasi: Prime Minister Narendra Modi offers prayers at the Jangamwadi Math. Uttar Pradesh Chief Minister Yogi Aditynath and Karnataka Chief Minister BS Yediyurappa also present. pic.twitter.com/U0tKjhnZ6E
— ANI UP/Uttarakhand (@ANINewsUP) February 16, 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાબતપુર એરપોર્ટ પહોંચ્યા. વડા પ્રધાન આજે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સ્મૃતિસ્થળનું ઉદ્ઘાટન કરશે અને 63 ફુtટ ઉંચી દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમા તેમજ 30 થી વધુ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.
वाराणसी: प्रधानमंत्री नरेंद्र मोदी बाबतपुर एयरपोर्ट पहुंचे। प्रधानमंत्री आज पंडित दीनदयाल उपाध्याय स्मृति स्थल का उद्घाटन करने और 63 फीट ऊंची दीनदयाल उपाध्याय की प्रतिमा का अनावरण करने के साथ ही 30 से अधिक परियोजनाओं का उद्घाटन करेंगे। pic.twitter.com/tfIjtdJxy7
— ANI_HindiNews (@AHindinews) February 16, 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીનાં પ્રવાસ પર છે, વડા પ્રધાન આ પ્રવાસમાં ઘણા કાર્યક્રમોમાં ભાગ લેવા જઇ રહ્યા છે, અહીં તેઓ 30 થી વધુ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી વીડિયો લિંક દ્વારા આઈઆરસીટીસીની મહાકાલ એક્સપ્રેસને રવાના કરશે. આ રાત સુધી ચાલનારી પ્રથમ ખાનગી ટ્રેન બનશે જે 3 ધાર્મિક શહેરો વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડશે. વડા પ્રધાનનાં આગમન પૂર્વે વારાણસીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને શહેરને દુલ્હનની જેમ સજ્જ કરવામાં આવી છે.
पड़ाव, वाराणसी: प्रधानमंत्री नरेंद्र मोदी आज पंडित दीनदयाल उपाध्याय स्मृति स्थल का उद्घाटन करेंगे और साथ ही 63 फीट ऊंची दीनदयाल उपाध्याय की प्रतिमा का अनावरण करेंगे। इसके साथ ही नरेंद्र मोदी वीडियो लिंक के जरिए IRCTC की महाकाल एक्सप्रेस को भी हरी झंडी दिखाएंगे। pic.twitter.com/QCtB5SkYIw
— ANI_HindiNews (@AHindinews) February 16, 2020
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે એટલે કે આજે તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીની મુલાકાતે છે અને આ સમય દરમિયાન તેઓ ત્રીસથી વધુ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે. ભાજપનાં જિલ્લા અધ્યક્ષ વિદ્યાસાગર રાયએ જણાવ્યું કે, વડા પ્રધાન મોદી સૌ પ્રથમ જંગમબાડી મઠ ખાતે આયોજિત સમારોહમાં હાજરી આપશે. તેમણે કહ્યું કે વડા પ્રધાન ત્યાં શ્રી સિદ્ધાંત સિખવાણી ગ્રંથનાં વિમોચન સાથે ગ્રંથની મોબાઇલ એપ્લિકેશન બહાર પાડશે. મોદી જંગમબાડી મઠથી પડાવ જશે જ્યા તેઓ પંડિત દીનદયાલ ઉપાધ્યાય સ્મૃતિ સ્થલનું ઉદ્ઘાટન કરશે અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયની 63 ફૂટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા દેશની સૌથી ઉંચી પંડિત દીનદયાળની પ્રતિમા છે, જેને એક વર્ષમાં 200 થી વધુ કારીગરોએ તૈયાર કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
