પંજાબમાં ચૂંટણી જીતવા પર આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે 300 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીની તૈયારી કરી રહેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ મંગળવારે ચંદીગઢ પહોંચ્યા હતા. પ્રેસ કલબમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે પંજાબમાં દિલ્હી મોડેલની તર્જ પર કામ કરવાની વાત કરી હતી.
દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફત
અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે જો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં આવે તો દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે આની સાથે જ લગભગ 80 ટકા લોકોનું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. જો આપણી સરકાર બને છે, તો 24 કલાક વીજળી આવશે, પરંતુ બિલ આવશે નહીં.
ਪੰਜਾਬ ਇੱਕ ਨਵੇਂ ਬਦਲਾਅ ਦੇ ਵੱਲ ਵਧ ਰਿਹਾ ਹੈ, ਜ਼ਰੂਰੀ ਐਲਾਨ। ਪ੍ਰੈੱਸ ਕਾਨਫ਼ਰੰਸ | LIVE#KejriwalDiGuarantee
https://t.co/WVV7FuvqVq— AAP Punjab (@AAPPunjab) June 29, 2021
આ પણ વાંચો : ED ઓફીસ નહીં જાય અનિલ દેશમુખ, ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી નિવેદન નોંધવાની કરી માગ
અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે પંજાબમાં અમારી સરકાર બનતાની સાથે જ બાકી પેન્ડિંગ બીલો માફ કરવામાં આવશે. જેમ આપણે દિલ્હીમાં 24 કલાક વીજળી આપી છે, તેવી જ રીતે પંજાબમાં પણ 24 કલાક વીજળી આપવામાં આવશે.
અરવિંદ કેજરીવાલની ત્રણ મોટી જાહેરાતો
- 300 યુનિટ વીજળી મુક્ત
- જુના વીજળી બિલ માફ (ઘરેલું)
- 24 કલાક વીજળી
અરવિંદ કેજરીવાલે અહીં કહ્યું કે આજે દેશની સૌથી મોંઘી વીજળી પંજાબમાં ઉપલબ્ધ છે, તે પણ જ્યારે પંજાબ પોતાની વીજળી ઉત્પન્ન કરે છે. દિલ્હીમાં વીજળી ઉત્પન્ન થતી નથી, તે અન્ય રાજ્યોમાંથી ખરીદવી પડે છે, તે પછી પણ સસ્તી વીજળી દિલ્હીમાં છે. છેલ્લા એક વર્ષથી, આમ આદમી પાર્ટીના લોકો સસ્તી વીજળી માટે વિરોધ કરી રહ્યા છે.
આ પણ વાંચો : ન ઘોડા કે ન ગાડી, દુલ્હનને ખંભા પર ઉપાડીને લઇ ગયો વરરાજા, જાણો શું છે કારણ
જોકે, મફત વીજળીના સવાલ પર અરવિંદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે જો 1 યુનિટનો 300 થી વધુ યુનિટનો ઉપયોગ કરવામાં આવે તો આખું વીજ બિલ દિલ્હીની જેમ ચૂકવવું પડશે.
આ અગાઉ, પંજાબીમાં કરેલા એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું હતું કે ‘દિલ્હીમાં અમે દરેક પરિવારને 200 યુનિટ મફત વીજળી પ્રદાન કરીએ છીએ. મહિલાઓ આનાથી ખૂબ ખુશ છે. મોંઘવારીથી પંજાબની મહિલાઓ પણ ખૂબ નારાજ છે. આપ સરકાર પંજાબમાં મફત વીજળી પણ આપશે. આવતીકાલે મળીશું ચંદીગઢમાં.
આ પણ વાંચો :માતાપિતા માટે આવ્યા ચેતવણીરૂપ સમાચાર, 12 વર્ષના બાળકે ૩ લાખ રૂ. ખર્ચીને કર્યું એવું કે..
