મુંબઈ નજીક થાણેના ભિવંડી માં એક ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગે તરત જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આ આગમાં કરોડો રૂપિયાનું સૅલ્મોન બળીને રાખ થઈ ગયું હતું. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચી આગ ઓલવવાનું શરૂ કર્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ પણ વાંચો :વિશ્વમાં કોલરવાલીના નામથી જાણીતી વાઘણનું મોત,29 વાઘને જન્મ આપવાનો રેકોર્ડ
ANI અનુસાર, ભિવંડી વિસ્તારના કાઝી કમ્પાઉન્ડમાં આવેલી એક કપડાની ફેક્ટરીમાં રવિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આગ લાગી ત્યારે ફેક્ટરી બંધ હતી. ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાથી કરોડોની સંપત્તિ બળીને ખાખ થઈ ગઈ છે. આગ પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આગની માહિતી મળતા જ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.એએનઆઈએ થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનને ટાંકીને જણાવ્યું હતું.
આ આગનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે જોત જોતામાં આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ફેક્ટરીમાં લાગેલી આગને કારણે થયેલા નુકસાનનો અંદાજ આ વીડિયોમાં લગાવી શકાય છે.
#WATCH| Maharashtra: Property worth crores gutted in a massive fire that broke out in a closed cloth factory last night in Kazi compound, Bhiwandi. Cause behind fire not yet clear; fire brigades reached the spot at earliest. No casualties reported yet: Thane Municipal Corporation pic.twitter.com/GasV8QPYO7
— ANI (@ANI) January 17, 2022
એરક્રાફ્ટના પુશબેક વાહનમાં લાગી હતી આગ
એક અઠવાડિયા પહેલા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી ઘટના ટળી હતી. વાસ્તવમાં પ્લેનને પુશબેક આપનાર વાહનમાં આગ લાગી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-647ને પાછળથી ધક્કો મારતા એરક્રાફ્ટ ટગમાં આગ ફાટી નીકળી હતી. અકસ્માત થયો ત્યારે વિમાનમાં મુસાફરો હાજર હતા. આ પ્લેનમાં 85 જેટલા મુસાફરો જામનગર જવાના હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યોહતો.
જેમાં ફાયર બ્રિગેડની ટીમ ટગ પર આગ ઓલવતી જોવા મળે છે. મુંબઈ એરપોર્ટના પીઆરઓએ જણાવ્યું કે મુંબઈ-જામનગર ફ્લાઈટમાં 85 મુસાફરો સવાર હતા. ત્યારે અચાનક પુશબેક ટગમાં આગ લાગી હતી. ઘટના બાદ તરત જ અગ્નિશમન દળના જવાનોએ આગ ઓલવવાનું શરૂ કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે 10 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં કોઈ વ્યક્તિને નુકસાન થયું નથી.
આ પણ વાંચો : મુંબઇ સિરિયલ બ્લાસ્ટના આરોપી સલીમ ગાઝીનું પાકિસ્તાનમાં મોત
આ પણ વાંચો : PM મોદી દાવોસ સમિટના પ્રથમ દિવસે સંબોધન કરશે..
આ પણ વાંચો :ટ્રાફિક પોલીસે જાહેર કર્યુ એલર્ટ, જો અવગણશો તો થઇ શકે છે મોટું નુકસાન
આ પણ વાંચો : કથક ડાન્સર અને પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતા પંડિત બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન
