આંધ્રપ્રદેશ/ CM જગન મોહન રેડ્ડીની બહેન શર્મિલાએ સક્રિય રાજકારણમાં પગ મૂક્યો, તેલંગાણામાં નવી પાર્ટીની રચના કરી

શર્મિલાએ મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવની ટીકા કરતા કહ્યું કે તેઓ લોકો સમક્ષ કરેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે.

Top Stories India

સક્રિય રાજકારણમાં એક પગલું ભરતાં, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીની બહેન વાય.એસ. શર્મિલાએ ગુરુવારે સત્તાવાર રીતે રાજકીય સંગઠન – વાયએસઆર તેલંગાણા પાર્ટીની રચના કરી છે. આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને તેમના સ્વર્ગસ્થ પિતાએ કલ્પના કરેલી ‘રાજન્ના રાજ્યમ’નું વચન આપતાં તેમણે કહ્યું હતું કે વાયએસઆર તેલંગાણા પક્ષનો મુખ્ય એજન્ડા કલ્યાણ, આત્મ સમૃદ્ધિ અને ગુણવત્તા જેવા મુદ્દાઓ પર આધારિત હશે.

અહીંના એક ખાનગી ઓડિટોરિયમમાં પાર્ટીના કાર્યસૂચિ અને ધ્વજનું અનાવરણ કરતાં શર્મિલાએ જણાવ્યું હતું કે તેઓ લોકો સાથે વાતચીત કરવા અને તેમની સમસ્યાઓ સમજવા માટે આજથી 100 મા દિવસે રાજ્યની ‘પદયાત્રા’ શરૂ કરશે. શર્મિલાએ મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવની ટીકા કરતા કહ્યું કે તેઓ લોકો સમક્ષ કરેલા વચનો પૂરા કરવામાં નિષ્ફળ ગયા છે.

 

બીજી તરફ, આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે કૃષ્ણ નદીના પાણીના વિવાદ પર તેમણે કહ્યું હતું કે બંને મુખ્યમંત્રીઓએ સાથે બેસીને આ મુદ્દાનો સમાધાન લાવવો જોઈએ. ભાજપ અને શાસક તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) પર  તંજ કસતા તેમણે આરોપ લગાવ્યો કે બંને પક્ષો વચ્ચે જોડાણ થયું છે.

તેમણે તેમના જન્મદિન નિમિત્તે આંધ્રપ્રદેશના કુડપહહ જિલ્લાના ઇદુપુલાપાયા ખાતે તેમની સમાધિ પર જઈ તેમના પિતા વાય.એસ.રાજશેખર રેડ્ડીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમની પુત્રી માટે આશીર્વાદ મેળવવા, રાજશેખર રેડ્ડીની પત્ની વિજયમ્માએ કહ્યું કે શર્મિલા અને જગન બે જુદા જુદા પ્રદેશોના લોકોના હિતનું પ્રતિનિધિત્વ કરે છે.

પક્ષની રચના અંગે પ્રતિક્રિયા આપતા ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના તેલંગાણા એકમના વડા કે કૃષ્ણ સાગર રાવે કહ્યું કે આખો કાર્યક્રમ નવી ફિલ્મના ઓડિયો રિલીઝ કાર્યક્રમ જેવો છે, તેનાથી વધુ કંઇ નહીં.