મહારાષ્ટ્રનાં મુંબઇ અને ગોવામાં વિનાશ બાદ સોમવારે મોડીરાતે વાવાઝોડાએ ગુજરાતનાં સમુદ્ર વિસ્તારોમાં ત્રાટક્યું હતું. કેરળ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગોવાને અત્યાર સુધી અસર કરી ચુકેલા આ વાવાઝોડાને કારણે હવે ગુજરાતમાં કહેર છવાયો છે.

તાઉતે સંકટ / ગુજરાતમાં આગામી 24 કલાક વાવાઝોડાની રહેશે અસર: હવામાન વિભાગ
મંગળવારે મોડીરાતે વાવાઝોડાની અસર ગુજરાતનાં સમુદ્ર વિસ્તારોમાં જોવા મળી હતી. મોડી રાત સુધીમાં એરફોર્સે એક વિશાળ રાહત બચાવ કામગીરી હાથ ધરી હતી અને હજારો લોકોને કાંઠેથી બહાર કાઠ્યા હતા. વાયુસેનાનાં બચાવ કામગીરીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે બે લોકોને બચાવવામાં આવ્યા છે. આ વીડિયો જોઈને અંદાજો આવી જાય છે કે મુશ્કેલ સંજોગોમાં વાયુસેનાએ કેવી રીતે બચાવ કામગીરી હાથ ધરી છે.

વાવાઝોડાનું સંકટ / LIVE – ગુજરાત માટે મોટી રાહતનાં સમાચાર, આગામી ત્રણ કલાકમાં નબળું પડી જશે વાવાઝોડું
મળતી માહિતી મુજબ, એરફોર્સનો આ વીડિયો આઈએનએસ કોલકાતામાં બચાવ કામગીરીનો છે. વાયુસેનાએ બચાવ કામગીરી દ્વારા અત્યાર સુધીમાં 177 લોકોને બચાવ્યા છે. આપને જણાવી દઇએ કે, સમુદ્રની લહેરો એટલી ભીષણ હતી કે નૌકાદળની બાર્જ પી305 પણ મોજા સામે ટક્કર લેવામાં સક્ષમ નજર ન આવી. બાર્જ પી 305 માં 373 લોકો હતા, જેમાંથી 177 લોકોને બચાવવામાં આવ્યા છે. નૌકાદળનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે બપોરે વાવાઝોડું ગુજરાતનાં કિનારા પર આવ્યા પહેલા બાર્જ પી 305 મુંબઈના કિનારાથી દૂર નીકળી ગયુ હતુ. બીજી બાજુ, એક અન્ય બાર્જ GAL કન્સ્ટ્રક્ટર સમુદ્રની લહેરોમાં ફસાયો છે. તેમાં 137 લોકો સવાર હોવાનું જણાવાયું છે.
#CycloneTauktae
Visuals from INS Kolkata picking up two survivors yesterday evening. So far 177 people have been rescued from Barge P305. @indiannavy #CycloneAlert pic.twitter.com/sk7XQndrQi— Shivani Sharma (@shivanipost) May 18, 2021
આપને જણાવી દઈએ કે, સમુદ્રમાં ફસાયેલા લોકોને બચાવવા નૌકાદળ અને એરફોર્સએ પૂરી શક્તિ આપી દીધી છે. નૌસેનાએ આઈએનએસ કોચી, આઈએનએસ કોલકાતા અને આઈએનએસ તલવારને બચાવ કામગીરી માટે તૈનાત કર્યા છે.

