Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાનો હાહાકાર, રેકોર્ડ બ્રેક 25,833 નવા કેસ નોંધાયા, પંજાબમાં જલંધર-લુધિયાણામાં નાઈટ કર્ફ્યુ

કોરોના વાયરસ મહામારી એ દેશમાં તબાહીનું કારણ બની ગઈ છે, મહારાષ્ટ્રમાં ચારે તરફ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં અફરાતફરી મચાવી દીધી છે. મહારાષ્ટ્રમાં, બેકાબૂ કોરોનાના આંકડાઓ ડરાવવા માંડ્યા છે.

Top Stories India

કોરોના વાયરસ મહામારી એ દેશમાં તબાહીનું કારણ બની ગઈ છે, મહારાષ્ટ્રમાં ચારે તરફ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં અફરાતફરી મચાવી દીધી છે. મહારાષ્ટ્રમાં, બેકાબૂ કોરોનાના આંકડાઓ ડરાવવા માંડ્યા છે. સરકારના પ્રયત્નો છતાં રેકોર્ડ સ્તરનાના કોરોના સંક્રમણના નવા કેસો  દરરોજ બહાર આવી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25,833 નવા કેસ નોંધાયા છે.

Coronavirus cases in maharashtra | Latest News on Coronavirus-cases-in- maharashtra | Breaking Stories and Opinion Articles - Firstpost

જો કે, આ સમયગાળા દરમિયાન 12,764 દર્દીઓ પણ સ્વસ્થ બન્યા છે, જ્યારે 58 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. તે જ સમયે, કોવિડ -19 ની ગતિએ પણ પંજાબ ખરાબ હાલતમાં છે. રોગચાળાના વધતા જતા કેસોને જોતા જલંધર અને લુધિયાણામાં આજ રાતથી રાત્રિના કર્ફ્યુના આદેશ આપવામાં આવ્યા છે.

 નાગપુર મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો સૌથી અસરગ્રસ્ત જિલ્લો છે. ગુરુવારે અહીં કોરોનાના નવા 3,796 કેસ નોંધાયા છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 1,277 દર્દીઓ સાજા થયા હતા અને 23 દર્દીઓના મોત નિપજયા હતા. નાગપુરમાં અત્યાર સુધીમાં 1,82,552 લોકોકોરોના સંક્રમિત બન્યા છે, જ્યારે 1,54,410 દર્દીઓ પણ સ્વસ્થ બન્યા છે. 4,528  દર્દીઓએ કોરોના સંક્રમણમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

જે રીતે દિન-પ્રતિદિન કોરોના ના આંકડા જાય છે તે જોતાંપંજાબમાં પણ કોરોનાની ગતિ ડરાવવા માંડી છે. જલંધર જિલ્લા કલેક્ટર ઘનશ્યામ થોરી અને લુધિયાણા જિલ્લા કલેક્ટર વરિન્દર શર્નાએ આજ રાતથી જ તેમના જિલ્લાઓમાં કર્ફ્યુની જાહેરાત કરી છે. નાઇટ કર્ફ્યુ આગળના ઓર્ડર સુધી ચાલુ રહેશે.