ડીસા તાલુકાના રાણપુર ગામની જમીનનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે આ જમીનને રદ કરવા જિલ્લા કલેકટર સમક્ષ લેખિત માં રજુઆત કરી છે.ડીસા તાલુકાના રાણપુર ગામે યુનિવર્સિટીના અસરગ્રસ્તને ખોટા કાગળો અને નકશાના આધારે નાયબ કલેક્ટર પાલનપુર એ વગર સત્તાએ જમીન ફાળવી દીધા, અનેક રજુઆત છતા જમીન રદ ન કરાતા હવે સમગ્ર મામલો જિલ્લા કલેકટર કચેરીએ પહોચ્યો છે અને જિલ્લા કલેકટર સમક્ષ લેખિત ફરિયાદ કરી અંગત સ્વાર્થ ખાતર ખોટો ઓર્ડર કરેલ હોઈ રદ કરવાની માંગ કરી છે. અને જે કાગળો ના આધારે જમીન ની ફાળવણી કરવામાં આવી છે તે તમામ કાગળો પણ રજૂ કર્યા છે.
સાથે અસરગ્રસ્ત ની ત્રીજી પેઢી ને જમીન સીધી ફાળવી ન શકાય છતાં ત્રીજી પેઢી ના વારસદાર ના નામે ચાર એકર જમીનનો ઓર્ડર 2011 ની સાલ માં કરી દીધો હોવાનું પણ સામે આવ્યું છે. તો જે નકશો તત્કાલીન સર્કલ ઓફિસરએ જે પારઘી અને રાણપુર – તત્કાલીન તલાટી દિનેશ જોશી એ ગૌચર ની જમીન ને યુનિવર્સિટીની બતાવી નકશો બનાવ્યા બાદ પંચાયત એ પણ આ જમીન ગૌચર ની અને પંચાયત ની જોવાનું જણાવેલ છતા પણ અધિકારી પોતાના અંગત સ્વાર્થ ખાતર ખોટો ઓર્ડર કરી દીધેલ.
જોકે આ તમામ બાબતો ને લઈને રાણપુર ગામના અરજદારે જિલ્લા કલેકટર સમક્ષ લેખિતમાં પુરાવા સાથે રજુઆત કરેલ અને હુકમ રદ કરવાની માંગ કરી છે, ત્યારે હવે જિલ્લા કલેકટર ખોટા ઓર્ડરને રદ કરી ખોટા પુરાવા ઉભા કરનાર અધિકારી, કર્મચારીઓ સામે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાની રહ્યું.અરજદાર આગાઉ જિલ્લા ફરિયાદ નિવારણમાં ગયેલ ત્યારે કલેક્ટર એ અરજદારની ફરિયાદની તત્કાલિન કાર્યવાહી કરી ફરિયાદીને જાણ કરવા આદેશ કરેલ પરંતુ બાદમાં નાયબ કલેકટર પાલનપુર કે ડીસા મામલતદાર એ કલેકટર ના આદેશનો પાલન જ ન કર્યો, અને અરજદારને કોઈજ જવાબ આપેલ નહિ.
ડીસાના વિવાદિત નાયબ કલેકટર એચ એમ પટેલએ સર્કલ ઓફિસર એ નામજૂર કરેલ નોંધને તા.24.1.2021 ના રોજ મંજુર કરી દીધેલ.જોકે પ્રકરણ જાણ્યા વગર અને સીટમાં તપાસ ચાલતી હોવા છતાં પોતાના અંગત સ્વાર્થ ખાતર નોંધ મજૂર કરી દીધેલ.જિલ્લા નિરીક્ષક (DLR) એ જમીન માપણી માટે કલેકટર ની મંજૂરી મેળવવા અને મંજૂરી બાદ જમીનની માપણી કરવા માટે ડીસા નાયબ કલેકટર ને પત્ર લખેલ અને માપણી માટે નાયબ કલેકટર ડીસા એ કલેકટર ની મંજૂરી લીધા વગર સીધેસીધા નોંધ મંજુર કરી દીધેલ.જોકે હજુ સુધી DLR દ્વારા માપણી પણ થઈ નથી અને નોંધ નાયબ કલેકટર એચ એમ પટેલ એ મંજુર કરી દીધેલ.

