ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાનની તારીખો નક્કી કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત થવાની આશા છે. પરંતુ આજે સવારે એટલે કે શનિવારે ચૂંટણી પહેલા આવકવેરા વિભાગે સમાજવાદી પાર્ટીનાં રાષ્ટ્રીય મહાસચિવ રાજીવ રાય સહિત સપા પ્રમુખ અખિલેશ યાદવનાં કેટલાક ખાસ નેતાઓનાં સ્થળો પર દરોડા પાડ્યા હતા, જેના પછી હંગામો મચી ગયો છે. આજે સવારથી આવકવેરા વિભાગનાં દરોડા ચાલુ છે. આ કાર્યવાહી પર સપાનાં નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે અને સમાજવાદી પાર્ટીનાં કાર્યકરોએ રાજીવ રાયનાં નિવાસસ્થાને હંગામો મચાવ્યો છે.
આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યનું આ શહેર બન્યુ સૌથી ઠંડુગાર, વહેલી સવારે ચા ની ચુસ્કી લેતા જોવા મળ્યા લોકો
આવકવેરા વિભાગની ટીમે શનિવારે સવારે લખનઉ, મૈનપુરી, મઉમાં સપા નેતાઓનાં ઘર અને કેમ્પ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આગ્રાનાં મનોજ યાદવ, લખનઉનાં જૈનેન્દ્ર યાદવ અને મઉનાં રાજીવ રાય સહિત એક ડઝનથી વધુ નેતાઓ સામેલ છે. લખનઉમાં આંબેડકર પાર્ક પાસે સ્થિત જૈનેન્દ્ર યાદવનાં ઘરે આવકવેરાનાં દરોડા પડ્યા છે. બીજી તરફ મઉમાં સપા નેતા રાજીવ રાયની કેમ્પ ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાની માહિતી મળતાં જ ડઝનબંધ કાર્યકરો સ્થળ પર પહોંચ્યા અને હંગામો મચાવ્યો હતો. હંગામો વધવાની આશંકાથી ભારે પોલીસ ફોર્સને સ્થળ પર બોલાવવામાં આવી છે. મઉમાં, આવકવેરાની ટીમે શનિવારે સવારે કોતવાલી નગરનાં સહદતપુરામાં સ્થિત SP નાં રાષ્ટ્રીય સચિવ રાજીવ રાયની કેમ્પ ઓફિસ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન વારાણસીનાં ઈન્કમટેક્સે રાજીવ રાયને તેમના ઘરમાં રોક્યા હતા. જે બાદ પર એસપી નેતાઓએ હંગામો શરૂ કર્યો હતો, ત્યારબાદ રાજીવ રાયનાં ઘરની બહાર મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરવામાં આવી. જણાવી દઇએ કે, સપા સરકારમાં પાવર કોર્પોરેશનનાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાના કામમાં રાજીવ રાય પર ભ્રષ્ટાચારનાં ગંભીર આરોપો છે. વિભાગીય તપાસમાં તે દોષી સાબિત થયા હતા.
આ પણ વાંચો – 71ના યુદ્ધની કહાની / જ્યારે અમેરિકા પાકિસ્તાનની મદદ કરવા ભારત સામે આવી રહ્યું હતું ત્યારે રશિયાએ આ રીતે રોક્યો હતો
Mau: An Income Tax raid is underway at the residence of national secretary of Samajwadi Party (SP), Rajeev Rai.
Raids are underway at a few more locations at the premises of people of SP chief Akhilesh Yadav. More details are awaited. pic.twitter.com/yJIDwC75qF
— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 18, 2021
બીજી તરફ, આવકવેરા વિભાગે શનિવારે વહેલી સવારે આગ્રાનાં પંજાબી કોલોનીમાં રહેતા રાજ્ય કોન્ટ્રાક્ટર મનોજ યાદવનાં ઘરે દરોડા પાડ્યા હતા. 12 વાહનોનાં કાફલા સાથે પહોંચેલી આવકવેરા વિભાગની ટીમોએ પૂરા ઘરને અંદરથી તાળું મારી દીધું છે. ઘરની બહાર સ્થાનિક પોલીસનો બંદોબસ્ત છે. અંદર કોઈને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. સવારે 6 વાગ્યાથી આવકવેરા વિભાગની ટીમો ઘરની અંદર તપાસ કરી રહી છે. દરોડાનાં કારણ વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. સ્ટેટ કોન્ટ્રાક્ટર મનોજ યાદવ SP ની ખૂબ નજીક છે. આ દરોડાની માહિતી મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો તેમના ઘરની આસપાસ પહોંચી ગયા છે, પરંતુ કોઈને અંદર પ્રવેશ આપવામાં આવ્યો નથી.
