કરણ જોહરે ફિલ્મી દુનિયાને ઘણી સુપરહિટ ફિલ્મો આપી. કરણ જોહરે કભી ખુશી કભી ગમથી લઈને કુછ કુછ હોતા હૈ અને અગ્નિપથ સુધીની ઘણી અલગ-અલગ ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન કર્યું છે. ભાગ્યે જ એવું જોવા મળે છે કે કરણ જોહર કોઈ વાતને લઈને ઈમોશનલ થયો હોય. તાજેતરમાં કલર્સે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેના આગામી શો ‘હુનરબાઝ-દેશ કી શાન’નો નવો પ્રોમો રિલીઝ કર્યો હતો, જેમાં કરણ જોહર સ્પર્ધકનું પ્રદર્શન જોઈને એટલો ભાવુક થઈ ગયો હતો કે તેની આંખોમાંથી આંસુ આવી ગયા હતા.
આ પણ વાંચો :મહાભારતના કૃષ્ણના તૂટયા લગ્ન, 12 વર્ષ પછી પત્નીથી અલગ થયા નીતીશ ભારદ્વાજ
સ્પર્ધક આપવી દીધી પિતાની યાદ
આ વીડિયોમાં, એક યુવા સ્પર્ધક હુનરબાઝના સ્ટેજ પર તેની સંગીત પ્રતિભા બતાવવા માટે આવ્યો હતો. જેમાં તેણે અગ્નિપથના ગીત ‘અભી મુઝેમેં કહી બાકી થોડી સી હૈ ઝિંદગી’ પર વાંસળી વગાડીને પોતાની પ્રતિભા દર્શાવી હતી. આ સંગીત સાંભળીને કરણ જોહર ખૂબ જ ભાવુક થઈ ગયો હતો, ત્યારબાદ પરિણીતી ચોપરા પોતાની સીટ પરથી ઉભી થઈ અને તેને ગળે લગાડ્યો. કરણે કહ્યું કે, ‘આ ગીત સાંભળીને હું ખૂબ જ ભાવુક થઈ ગયો છું, મને મોટા પિતાની યાદ આવૈ ગઈ છે’.
https://www.instagram.com/tv/CY3k6fcl3YA/?utm_source=ig_web_copy_link
કરણે કહ્યું કે આ ફિલ્મ તેના પિતાના દિલની નજીક હતી…
કરણ જોહરને રડતો જોઈને મિથુન ચક્રવર્તીએ તેને પૂછ્યું કે તું આટલો ભાવુક કેમ થઈ ગયો? તેના જવાબમાં કરણ જોહરે કહ્યું, ‘આ ફિલ્મ (અગ્નિપથ) પાપા (યશ જોહર)ના દિલની ખૂબ જ નજીક હતી, જે ઓરિજિનલ હતી અને જ્યારે તે ફિલ્મ ચાલી ન હતી, ત્યારે મારા પિતાનું હૃદય સંપૂર્ણપણે તૂટી ગયું હતું. જ્યારે અમે ફરીથી આ ફિલ્મ બનાવી, જેની સરખામણી અસલ અગ્નિપથ સાથે કોઈપણ રીતે કરી શકાય નહીં. પણ જ્યારે પણ આ ગીત વગાડવામાં આવે છે ત્યારે મને મારા પિતા યાદ આવે છે.
મિથુન ચક્રવર્તીએ કહ્યું કે તારા પિતા મારા ખાસ મિત્ર હતા
મિથુન ચક્રવર્તીએ પણ કરણ જોહરના પિતા અને નિર્માતા યશ જોહર સાથેની ગમગીનીનો આનંદ માણતા કહ્યું કે ‘અંકલ (યશ જોહર) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મારા સૌથી સારા મિત્ર હતા અને હું પણ તેમને યાદ કરું છું’. જે બાદ મિથુન ચક્રવર્તી અને કરણ જોહર ઉભા થયા અને એકબીજાને ગળે લગાવ્યા અને સેટ પર ભાવનાત્મક વાતાવરણ સર્જાયું. આપને જણાવી દઈએ કે યશ જોહરે વર્ષ 1990માં ફિલ્મ અગ્નિપથનું નિર્દેશન કર્યું હતું, જેમાં અમિતાભ બચ્ચને મુખ્ય ભૂમિકા ભજવી હતી. પરંતુ આ ફિલ્મ મોટા પડદા પર અસફળ સાબિત થઈ.
હુનરબાઝ: દેશ કી શાન 22મી જાન્યુઆરીથી કલર્સ પર પ્રસારિત થશે, જ્યાં દેશભરમાંથી ઘણાં વિવિધ સ્પર્ધકો તેમની પ્રતિભા દર્શાવવા માટે આ પ્લેટફોર્મ પર આવશે. આ શોને મિથુન ચક્રવર્તી, કરણ જોહર અને પરિણીતી ચોપરા દ્વારા જજ કરવામાં આવશે જ્યારે ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા તેમની કોમેડીથી દર્શકોને હસાવતા અને શોને હોસ્ટ કરવાની જવાબદારી સંભાળતા જોવા મળશે.
આ પણ વાંચો :રજનીકાંતની પુત્રી બાદ શું હવે ચિરંજીવીની લાડકી પણ પતિથી થઈ રહી છે અલગ, જાણો શું છે સત્ય
આ પણ વાંચો :ઉર્વશી રૌતેલાએ આ રીતે તલવાર વડે કાપી કેક, ચાહકોએ પૂછ્યું- કે આ કઈ વસ્તુથી બનેલી છે?
આ પણ વાંચો :અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ ફિલ્મ આ દિવસે રિલીઝ થશે ……
આ પણ વાંચો :વરૂણ ધવનના ડ્રાઇવર મનોજ સાહુનું હાર્ટ એટેકથી મોત
