નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) એ મુંબઈ સ્થિત હાસ્ય કલાકાર ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના ફ્લેટમાં દરોડા પાડ્યા છે. એજન્સી દ્વારા અંધેરી, લોખંડવાલા અને વર્સોવા ક્ષેત્રો સહિત ત્રણ જુદા જુદા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એનસીબી દ્વારા પકડાયેલા ડ્રગ પેડ્લરના ઈશારા ઉપર ભારતીસિંહ અને હર્ષ લિંબાચીયાના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન એનસીબીને શંકાસ્પદ પદાર્થ (ગાંજા) મળી આવ્યો છે.
એનસીબીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું હતું કે, ભારતી અને તેના પતિ બંનેને એનસીબી દ્વારા ડ્રગના દુરૂપયોગ અંગે પૂછપરછ કરવા અટકાયતમાં લેવામાં આવ્યા છે. એનસીબીએ વધુ તપાસ માટે ભારતી અને તેના પતિ બંનેને તેમની ઝોનલ ઓફિસમાં લઈ ગયા છે.
Maharashtra: Narcotics Control Bureau (NCB) conducts raid at the residence of comedian Bharti Singh in Mumbai.
"She and her husband both have been detained for questioning by NCB about possession of narcotics substances," says Sameer Wankhede, Zonal Director, NCB Office, Mumbai pic.twitter.com/omht7fNXOj
— ANI (@ANI) November 21, 2020
બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ ડ્રગ્સનું એંગલ બહાર આવ્યું ત્યારથી એનસીબી સતત દરોડા પાડી રહ્યું છે. ડ્રગ્સના કેસમાં એનસીબીની સતત બોલિવૂડ સ્ટાર્સ પર કડક કાર્યવાહી કરી રહી છે.
ડ્રગ્સના કેસમાં અગાઉ અર્જુન રામપાલ શુક્રવારે એનસીબી ઓફિસ પહોંચ્યો હતો, જ્યાં ડ્રગ્સના કેસમાં તેની કલાકો સુધી પૂછપરછ કરવામાં આવી હતી. અને તે અગાઉ અર્જુનની લીવ -ઇન પાર્ટનર ગેબ્રિએલા ડીમેટ્રિએડ્સ ની પણ બે દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ અર્જુન રામપાલનો મિત્ર પોલ બાર્ટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી બાર્ટેલને 25 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
તે જ સમયે, સુશાંતના મૃત્યુના કેસમાં ડ્રગ્સ એન્ગલ શોધવાનું શરૂ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ની તપાસ હવે બીજી દિશામાં આગળ વધી રહી છે. સુશાંત કેસ હવે એનસીબીનો સામનો કરી રહ્યો છે એટલું જ નહીં, પરંતુ તેણે મુંબઈના બોલિવૂડમાં કથિત ડ્રગ રેકેટના મૂળ શોધી રહ્યું છે. આ મૂળિયા કેટલા ફેલાઈ છે અને તેની પાછળ કઈ ‘પ્રભાવશાળી’ હસ્તીઓ કાર્યરત છે, તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
એનસીબીના દિલ્હી સ્થિત મુખ્ય મથકના સૂત્રો કહે છે કે આ મામલામાં મોટા સિન્ડિકેટ્સ બચી રહ્યા છે. શરૂઆતમાં, કેસની તપાસ એવી રીતે આગળ વધી કે મુંબઇ અને ગોવાના ઘણા સ્થળો કે જ્યાં એજન્સીએ ડ્રગ્સ મેળવવાની આશા હતી ત્યાં શરુ આત કરી પરંતુ ત્યાં કાઈ હાથ લાગ્યું નહી. પ્રભાવશાળી લોકોની હોટલો અને ફાર્મ હાઉસ, જ્યાં દવાઓ સામાન્ય છે, પરંતુ ત્યાં કંઇ મળી શક્યું નથી.
આ તપાસ ડ્રગ પેડ્લરોની આસપાસ ફરે છે. બીજી તરફ, સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ માદક દ્રવ્યોના કેસમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
તેમાં જણાવાયું છે કે એનડીપીએસ એક્ટ હેઠળ પોલીસ અધિકારી સમક્ષ આરોપીના નિવેદનને પુરાવા તરીકે ગણી શકાય નહીં. એનસીબીએ આ મામલે અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ બાદ ત્રણ ડઝનથી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
