Birthday/ PM મોદીએ લાલકૃષ્ણ આડવાણીનાં જન્મ દિવસ પર અભિનંદન પાઠવ્યા

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રવિવારનાં રોજ 93 વર્ષનાં થઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીનાં જન્મદિવસ પ્રસંગે તેમને અભિનંદન પાઠવ્યા છે.

Top Stories

ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી રવિવારનાં રોજ 93 વર્ષનાં થઈ ગયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લાલકૃષ્ણ અડવાણીનાં જન્મદિવસ પ્રસંગે તેમને અભિનંદન પાઠવ્યા છે. આપને જણાવી દઈએ કે, ભાજપનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બરનાં રોજ કરાચીનાં સિંધી પરિવારમાં થયો હતો. જો કે વિભાજન બાદ અડવાણીનો પરિવાર ભારતમાં આવ્યો હતો અને મુંબઇમાં સ્થાયી થયો હતો.

દેશમાં કોરોનાનાં કેસનો આંક 85 લાખને પાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે 8 નવેમ્બરનાં રોજ ટ્વીટ કરીને વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હતા. એમ પણ લખ્યું કે, ‘ભાજપાને લોકો સુધી પહોંચાડવાની સાથે દેશનાં વિકાસમાં ખાસ ભૂમિકા ભજવનાર શ્રી એલ.કે.અડવાણીજીને જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ. તેઓ લાખો પાર્ટી કાર્યકર્તાઓ તેમજ દેશવાસીઓ માટે પ્રત્યેક્ષ પ્રેરણાસ્ત્રોત છે. હું તેમના લાંબા જીવન અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કરીને કહ્યું કે, ‘આદરણીય અડવાણીજીએ તેમની મહેનત અને નિસ્વાર્થ સેવાથી દેશનાં વિકાસમાં ન માત્ર ફાળો આપ્યો, પણ ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાનાં વિસ્તરણમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હું તેમના જન્મદિવસ પર તેમને શુભેચ્છા પાઠવું છું અને ભગવાનને સારા સ્વાસ્થ્ય અને દીર્ધાયુષ્યની કામના કરુ છું.

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એક ટ્વિટમાં કહ્યું, ‘આપણા બધાનાં અભિભાવક અને દેશનાં એક આદરણીય રાજકારણી શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને તેમના જન્મદિવસ પર હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ. ભાજપને બીજમાંથી એક વૃક્ષ બનાવવામાં તેમની અને અટલજીની જે ભૂમિકા રહી છે તેને સમગ્ર દેશ જાણે છે. ભગવાન તેમને દીર્ધાયુષ્ય અને સારા સ્વાસ્થ્ય આપે.’