Politics/ રાહુલનો સરકાર પર કટાક્ષ- દેશને તેમની પાસેથી સત્યની હતી આશા, જે નથી જાણતા સત્યુ શું છે!

મોદી સરકાર પર સતત હુમલો કરતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશને તેમની પાસેથી સત્યની અપેક્ષા છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે જેમાં જણાવ્યું છે કે, 31 ડિસેમ્બર સુધીમાં દેશને 135 કરોડ ડોઝ આપવામાં આવશે.

Top Stories India
મોંઘવારીને

મોદી સરકાર પર સતત હુમલો કરતા કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશને તેમની પાસેથી સત્યની અપેક્ષા છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે જેમાં જણાવ્યું છે કે, 31 ડિસેમ્બર સુધીમાં દેશને 135 કરોડ ડોઝ આપવામાં આવશે. જેના કારણે કેન્દ્રએ 216 કરોડથી વધુ ડોઝ આપવાનું વચન આપ્યું હતું.

રાહુલ ગાંધીએ સોમવારે ટ્વિટ કરીને લખ્યું છે કે, દેશને તેમની પાસેથી સત્યની અપેક્ષા હતી, જેને ખબર નથી સત્ય શું છે! #VaccineJumla. આ ટ્વિટની સાથે તેમણે અખબારની કટીંગ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, સુપ્રીમ કોર્ટને અપાયેલા સોગંદનામામાં કેન્દ્ર સરકારે યુ-ટર્ન લીધો છે. અગાઉ, સરકારને નિશાન બનાવતી વખતે કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કહ્યું હતું કે, કામની વાત માત્ર એક– વેક્સિનની અ્છત ખતમ કરો! બાકીનું બધું ધ્યાન ભટકાવવાનું એક બહાનું છે.

હમ નહી સુધરેગે! / ટ્વિટરની ભૂલ, ભારતનાં નકશામાંથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કર્યુ ગુમ

તેમના ટ્વીટનો જવાબ આપતા કેન્દ્રીયમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, “પપ્પુ” ને ક્યારે વેક્સિન લગાવશે? અથવા ભટકાવવું, વિઘટન, ડર, મૂંઝવણ” જ છે પપ્પુની રોગપ્રતિકારક ક્ષમતા?

નવી અગ્નિ સીરીઝની મિસાઇલ / અગ્નિ પ્રાઇમ મિસાઇલનું ઓડિશામાં કર્યુ સફળ પરીક્ષણ

કોંગ્રેસનાં પ્રવક્તા અલકા લાંબા પણ મુખ્તાર અબ્બાસ નકવીનાં આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપવામાં પાછળ નહોતા રહ્યા. તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે, ‘આ વખતે પણ સંઘી ભાજપાઇઓએ શરૂઆત કરી છે, હવે તેઓને તેમની ભાષામાં જવાબ આપતી વખતે વિચારશો નહીં કે લોકો શું કહેશે, લોકોને પણ ખબર પડી ગઈ છે કે’ ભાષાની મર્યાદા ‘પહેલા સંઘીઓ જ પાર કરી હતી. અમે કોંગ્રેસનાં લોકો તેમને ઘરે સુરક્ષિત રીતે છોડીને આવીએ છીએ. ચાલો તેમને તેમની ઔકાત બતાવીએ.

સામૂહિક આપઘાતનો પ્રયાસ / રાજકોટમાં એક જ પરિવારનાં 4 સભ્યોએ શિવ શક્તિ ડેરીમાં ગટગટાવી ફિનાઇલ

વળી કોંગ્રેસનાં પ્રવક્તા રાગિની નાયકે કહ્યું કે, ‘ગપ્પુ’ ને ખુશ કરવા માટે અંધ ભક્તો કેટલા નીચા પડી જશે. ‘બક-વી’ સાહેબ, કોરોના થયાના 3 મહિના બાદ સુધી વેક્સિન લગાવી શકાતી નથી. દીવો, તાળી, થાળી, ઘંટી, મોબાઇલ લાઇટથી લઇને, છાણા લેપ, ભાભીજીનાં પાપડ, Dark Chocolate અને Coronil સુધી. ભ્રમ ફેલાવવાનું કામ સંઘી અને ભાજપાઇઓએ જ ઉઠાવ્યો છે.