શિવસૈનિકોએ શનિવારે પુણેમાં પાર્ટીના બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંત(tanaji sawant)ની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે હાજર ન હતી. શિવસૈનિકોએ સાવંત વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમની ઓફિસ(office)માં દેશદ્રોહી(Traitor) શબ્દ પણ લખવામાં આવ્યો હતો. જે તસવીરો સામે આવી છે તેમાં શિવસેના(shivsena )ના ઝંડા(flage) સહિત તોડફોડ કરનારાઓના હાથમાં બાળાસાહેબ(balasaheb)ના પોસ્ટરો જોવા મળ્યા હતા. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે અમે તમારી સાથે છીએ તેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ શિવસેનાના નેતા ચંદ્રકાંત જાધવે(chandrakant jadhav) પુણેમાં બળવાખોર ધારાસભ્ય તાનાજી સાવંતની ઓફિસમાં થયેલી તોડફોડને યોગ્ય ઠેરવતા કહ્યું કે આ માત્ર કાર્યવાહીની પ્રતિક્રિયા છે. તમામ ધારાસભ્યોને શિવસેનાની ભાષામાં જવાબ આપવામાં આવશે અને તેથી જ આ પ્રતિક્રિયા હવે રાજ્યમાં દરેક જગ્યાએ જોવા મળશે.

તે જ સમયે, આ હિંસા પછી, શિવસેના(shivsena)ના નેતા સંજય રાઉતે(sanjay raut) કહ્યું છે કે ધારાસભ્યોના બળવા પછી લોકોમાં ગુસ્સો છે અને તેને રોકી શકતા નથી. જો પાર્ટીના કાર્યકરો ગુસ્સે થશે તો આગ લાગશે. તાનાજી સાવંતના ઉલ્લેખ પર સંજય રાઉતે ખૂબ જ આક્રમક ભાષાનો ઉપયોગ કર્યો અને કહ્યું કે તેઓ કોંગ્રેસ(congress)માંથી શિવસેના(shivsena )માં આવ્યા છે અને પ્રથમ વાર ધારાસભ્ય બન્યા છે. તેમણે કહ્યું કે અમે આવા લોકોને તેમના કપડા ઉતારીને રસ્તા પર ઉભા કરી દઈએ છીએ. જણાવી દઈએ કે, તાનાજી સાવંત આસામના ગુવાહાટીમાં બળવાખોર ધારાસભ્યો સાથે હાજર છે.
#WATCH | Shiv Sena workers vandalise office of the party's MLA Tanaji Sawant in Balaji area of Katraj, Pune. Sawant is one of the rebel MLAs from the state and is currently camping in Guwahati, Assam. #MaharashtraPoliticalCrisis pic.twitter.com/LXRSLPxYJC
— ANI (@ANI) June 25, 2022
આ હિંસા પર સંજય રાઉતે કહ્યું કે આ મહારાષ્ટ્રના લોકોનો ગુસ્સો છે, મહારાષ્ટ્રમાં આવું ન થાય માટે આ ગુસ્સો કાયમ રહેવો જોઇયે. આ શિવસેનાની આગ છે અને અમે આ આગને ક્યારેય બુઝાવવા નહીં દઈએ. આ વાત બાળાસાહેબ ઠાકરેએ અમને કહી હતી. તે રાખ ન થવી જોઈએ. આ અગ્નિને પ્રજ્વલિત રાખવા માટે જે પણ સમિધાની જરૂર હોય તે રેડતા રહેવું જોઈએ.
શિવસેનાના નેતાએ કહ્યું કે તમે અમારા ધારાસભ્યોનું અપહરણ કરશો, તેમને સુરક્ષા આપશો અને અમે અમારો ગુસ્સો પણ ના બતાવીએ… શું આવું થઈ શકે? શું આપણે નામર્દ છીએ, વધુમાં વધુ સત્તા જતી જતી રહેશે. એથી વધુ શું થશે. સત્તા આવતી-જતી રહે છે. સંજય રાઉતે કહ્યું કે અસલી શિવસેના ઠાકરે નામ સાથે જોડાયેલી છે. શિંદે, રાણે, ભુજબળ આ લોકો આવતા રહે છે અને આવતા રહેશે. જો કોઈ કહે કે અમે બાળાસાહેબના ભક્ત છીએ તો ભક્તિ કરો. પાર્ટીને હાથમાં લેવાની કોશિશ ન કરો. અન્યથા તલવારનો જવાબ તલવારથી અપાશે.

સંજય રાઉતે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે આ ગરબડમાં ન પડવું જોઈએ. તેઓ એક વખત છેતરાયા છે. તેમણે કહ્યું કે આ અમારો આંતરિક મામલો છે, જો તેઓ આ મામલામાં પડી જશે તો તેમને સૌથી વધુ નુકસાન થશે. સંજય રાઉતે કહ્યું કે કેન્દ્રીય પોલીસ મહારાષ્ટ્રના લોકોને કેમ સુરક્ષા આપી રહી છે, આ લોકો દેશદ્રોહી છે. આખરે કેન્દ્રીય પોલીસ તેમને સુરક્ષા કેમ આપી રહી છે? સંજય રાઉતે કહ્યું કે પીએમ મોદી અને અમિત શાહે મહારાષ્ટ્રની આ ઝમેલમાં પડવું જોઈએ નહીં.
રાજકીય સંકટ/ બળવાખોર ધારાસભ્યોના હોટેલ ટ્રાવેલ બિલ કોણ ચૂકવે છે, શું છે હોર્સ ટ્રેડિંગનો દર ?
Sports/ WWEમાં જ્હોન સીના અને વીર મહાન આમને સામને, કુસ્તીબાજ ચાંદલા અને માળા સાથે જોવા મળશે
