Actions of RBI/ RBI એ ગુજરાતની 3 સહકારી બેંકો પર દંડ ફટકાર્યો, 2 આણંદ અને 1 વલસાડ

Gujarat News : ગુજરાતની ત્રણ સહકારી બેંકો પર માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરવા બદલ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ દંડ ફટકાર્યો છે. આણંદની 2 અને વલસાડની 1 સહકારી બેંકને આ દંડ ફટકારવામાં આવ્યો છે.

Gujarat Breaking News

Gujarat News : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા(RBI)એ આણંદની 2 કો-ઓપરેટિવ બેન્કોને રૂ. 1-1 લાખ અને વલસાડ(Valsad)ની 1 કો-ઓપરેટિવ બેન્કને રૂ. 15 લાખની પેનલ્ટી ફટકારી છે. આ પેનલ્ટી RBIની માર્ગદર્શિકાઓનું પાલન ન કરવા બદલ થઈ હોવાથી ખાતેદારો પર તેની કોઈ ખાસ અસર થશે નહીં.

આણંદ(Anand) જિલ્લાની ભાદરણ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે ડિપોઝિટ પર વ્યાજના દર અને KYC ના નિયમોનું પાલન કર્યું ન હતું. તારાપુર કો-ઓપરેટિવ અર્બન બેંકને રૂ. 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે અન્ય બેંકો સાથે થાપણો મૂકવાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

વલસાડ(Valsad)ની SBPP કો-ઓપરેટિવ બેંકને રૂ. 15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બેંકે આવકની ગણતરી, સંપત્તિનું વર્ગીકરણ અને અન્ય નિયમોનું પાલન ન કર્યું હતું. આ બેન્ક ઈનકમ રિકોગ્નિશન, એસેટ ક્લાસિફિકેશન, અને અન્ય સંબંધિત મામલામાં નિયમોનું પાલન કરી શકી ન હતી. વધુમાં અમુક દેવાદારોના લોન ખાતાને NPA તરીકે વર્ગીકૃત કરવામાં નિષ્ફળ રહી હતી.

RBIના આ નિર્ણયથી બેંકોએ નિયમોનું પાલન કરવું જરૂરી છે તેવો સંદેશ ગયો છે. જોકે, આ દંડથી ખાતેદારોને કોઈ ખાસ અસર થવાની શક્યતા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: RBI ના નવા ગવર્નર સંજય મલ્હોત્રા બનશે, તેનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે

આ પણ વાંચો: ખેડૂતોને હવે ગેરંટી વિના 2 લાખ રૂપિયાની લોન મળશે,RBIએ ખેડૂતોને આપી મોટી ભેટ!

આ પણ વાંચો: RBIની બેંકોને ભેટ – CRR 4.5% થી ઘટાડીને 4%, જાણો ફાયદા.