Uttarakhand News: ઉત્તરાખંડના (Uttarakhand) ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા (Snowfall) વચ્ચે, ગુરુવારે ચમોલી જિલ્લાના બદ્રીનાથ નજીક માનામાં એક આઇસબર્ગ તૂટવાને કારણે ત્યાં રહેતા 57 મજૂરો બરફ નીચે દટાઈ ગયા હતા.
તાજેતરના અહેવાલો અનુસાર, 57માંથી 16 કામદારોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ ટીમો સ્થળ પર હાજર છે પરંતુ ભારે હિમવર્ષાના કારણે રાહત અને બચાવ કાર્ય કરવામાં મુશ્કેલી પડી રહી છે. જો કે ભારતીય સેનાના સૂર્યા કમાન્ડના જવાનો મોરચો સંભાળી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે જ્યાં આ દુર્ઘટના થઈ છે ત્યાં હેલિકોપ્ટર પણ જઈ શકતું નથી. આ એક એવો વિસ્તાર છે જે નો નેટવર્ક ઝોન છે અને ત્યાં સેટેલાઇટ ફોન પણ કામ કરતા નથી.

જોકે, તમામ પ્રતિકૂળ સંજોગો છતાં બચાવકર્મીઓ બરફમાં દટાયેલા કામદારોને શોધવામાં વ્યસ્ત છે. આ તસવીરો જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે અત્યારે ત્યાં કેવી સ્થિતિ હશે. આ તમામ તસવીરોમાં ભારતીય સેનાના સૂર્ય કમાન્ડના બહાદુર સૈનિકો નજરે પડે છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટર પર પોસ્ટ કર્યું છે કે તેમણે ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર ફાટવા અંગે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, ડીજી આઈટીબીપી અને ડીજી એનડીઆરએફ સાથે વાત કરી છે. ગૃહમંત્રીએ કહ્યું કે અકસ્માતમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અમારી પ્રાથમિકતા છે.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે ITBP, BRO અને અન્ય બચાવ ટીમો દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ઉત્તરાખંડમાં ચોંકાવનારો કિસ્સો, 7 મહિનાના બાળકના પેટમાંથી મળી આવ્યો ભ્રૂણ.
આ પણ વાંચો:ઉત્તરાખંડથી રાજસ્થાન સુધી વરસાદની ચેતવણી, જાણો કેવું રહેશે આજનું હવામાન
