ઉદ્ધવ ઠાકરે આખરે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપી શકે છે.શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવસેનાના કેન્દ્રીય કાર્યાલય તરફથી આ અંગેની સત્તાવાર માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
સૂત્રોએ આ દાવો એવા સમયે કર્યો છે જ્યારે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે બધુ બરાબર નથી. ભૂતકાળમાં રાજકીય ઉથલપાથલના કારણે ભાજપ અને શિવસેના વચ્ચેનું અંતર વધી ગયું છે.રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દ્રૌપદી મુર્મુને સમર્થન આપવાના ઉદ્ધવના નિર્ણયને કોંગ્રેસ અને એનસીપી માટે આંચકા તરીકે જોવામાં આવી રહી છે. વિપક્ષે પૂર્વ IAS અધિકારી અને પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાને મેદાનમાં ઉતાર્યા છે.
બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને એનડીએ દ્વારા બોલાવવામાં આવેલી બેઠકમાં હાજરી આપવા માટે એકનાથ શિંદે જૂથના દીપક કેસરકર દિલ્હી જશે. મહારાષ્ટ્રના ભાજપના ધારાસભ્ય અને મુંબઈ ભાજપના પૂર્વ અધ્યક્ષ આશિષ શેલાર પણ આ બેઠકમાં હાજરી આપશે.
