કેન્દ્ર સરકાર દ્વારા 18 થી 22 સપ્ટેમ્બર 2023 દરમિયાન સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. આ સત્રની શરૂઆત પહેલા જ સરકાર અને વિરોધ પક્ષો વચ્ચેના મતભેદો સામે આવી ગયા છે. કોંગ્રેસ સહિત વિવિધ વિપક્ષી પાર્ટીઓ અચાનક વિશેષ સત્ર બોલાવવા પાછળ સરકારના ઈરાદા પર સવાલ ઉઠાવી રહ્યા છે. આવા સમયે માહિતી સામે આવી છે કે આ વિશેષ સત્રનું આયોજન ભારતના નવા સંસદ ભવનમાં કરવામાં આવશે.
નવા સંસદ ભવનમાં સત્ર
ANI એ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે કેન્દ્ર સરકાર દ્વારા બોલાવવામાં આવેલ વિશેષ સત્ર નવી સંસદ ભવનમાં યોજાશે. જૂના સંસદ ભવનમાં 18 સપ્ટેમ્બરે સત્ર શરૂ થશે. ત્યારબાદ 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના શુભ અવસર પર સત્રને નવા સંસદ ભવન ખાતે લાવવામાં આવશે.
The Special Session of Parliament will start in the old building on 18th September and will be later moved to the new building on 19th September on the occasion of Ganesh Chaturthi: Sources pic.twitter.com/nMS1nr3WsB
— ANI (@ANI) September 6, 2023
પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું
પીએમ મોદીએ 28 મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું અને સેંગોલની સ્થાપના કરી હતી. નવું સંસદ ભવન ઘણી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે અને જૂના સંસદ ભવન કરતાં પણ ઘણું મોટું છે. ત્રિકોણના આકારમાં બનેલું આ સંસદ ભવન ચાર માળનું છે. આ અંતર્ગત 64,500 ચોરસ મીટર વિસ્તારમાં બાંધકામ કરવામાં આવ્યું છે.
સોનિયા ગાંધીએ પીએમને લખ્યો પત્ર
કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધીએ સંસદના વિશેષ સત્રને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું છે કે બેઠક કોઈપણ ચર્ચા વિના બોલાવવામાં આવી છે. કોઈ પરામર્શ થઈ નથી અને એજન્ડા જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે પાર્ટી સંસદના વિશેષ સત્રનો બહિષ્કાર કરવાને બદલે તેમાં ભાગ લેવા તૈયાર છે.
આ પણ વાંચો:પટના યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન લપસી પડ્યા નીતીશ કુમાર અને…
આ પણ વાંચો:અધીર રંજન ચૌધરીએ “વન નેશન,વન ઈલેક્શન”ની કમિટીમાં સામેલ ન થવાનું જણાવ્યું કારણ
આ પણ વાંચો:શંકાસ્પદ હાલતમાં મળ્યો ફ્લાઇટ એટેન્ડન્ટનો મૃતદેહ, પોલીસે આ રીતે ઉકેલ્યો હત્યાનો ભેદ
આ પણ વાંચો:અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટનને લઈને હલનચલન, CM યોગી આવતીકાલે PM મોદીને આમંત્રણ આપવા જશે દિલ્હી
