મુંબઇમાં શનિવારે રાત્રે દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ 2021 યોજાયો હતો. આમાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનું મરણોત્તર સન્માન આપવામાં આવ્યું હતું. તેમને ક્રિટિક્સ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે સુશાંત સિંહ રાજપૂત હવે આપણી વચ્ચે નથી. તેમણે 14 જૂન 2020 ના રોજ વિશ્વને અલવિદા કહ્યું. તેણે ‘કાઈ પો છે’, ‘એમએસ ધોની’ અને ‘છીછોરે’ જેવી ફિલ્મોમાં શાનદાર પ્રદર્શન કરીને દર્શકોનું દિલ જીત્યું હતું.
દાદા સાહેબ ફાળકે (DPIFF) એ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી છે. તેમણે સુશાંતની એક તસવીર શેર કરી, જેના પર લખ્યું છે – “ક્રિટિક્સ બેસ્ટ એક્ટર.. દિવંગત શ્રી સુશાંત સિંહ રાજપૂત (1986-2020).”
View this post on Instagram
આ ફોટાના કેપ્શનમાં લખ્યું છે – “આ સિદ્ધિના માર્ગ પર તમારા દ્વારા બતાવેલ સમર્પણની ઉજવણી. વિવેચક શ્રેષ્ઠ અભિનેતા માટે દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એવોર્ડ જીતવા બદલ સુશાંત સિંહ રાજપૂતને અભિનંદન.”
આ કાર્યક્રમમાં કિયારા અડવાણી, નોરા ફતેહી સહિત અનેક હસ્તીઓ હાજર રહી હતી.
આ સ્ટાર્સને મળ્યો એવોર્ડ:
શ્રેષ્ઠ અભિનેત્રી વેબ સિરીઝ – સુષ્મિતા સેન (આર્યા)
શ્રેષ્ઠ અભિનેતા વેબ સિરીઝ – બોબી દેઓલ (આશ્રમ)
પરફોર્મર ઓફ ધ યર – નોરા ફતેહી
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ – પૈરાસાઈડ
આપને જણાવી દઇએ કે ગયા વર્ષે સુશાંતનો મૃતદેહ બાંદ્રાના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. તેમના મૃત્યુની તપાસ સીબીઆઈ, ઇડી અને એનસીબી દ્વારા કરવામાં આવી રહી છે. ડ્રગ્સ કેસમાં તેમની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને જેલની સજા ફટકારાઈ હતી. જોકે, તે જામીન પર બહાર છે. આ કેસમાં અનેક ફિલ્મ હસ્તીઓની પણ પૂછપરછ કરવામાં આવી હતી.
