Oath Ceremony:મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરામાં સરકાર રચવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મેઘાલયમાં 7 માર્ચે સવારે 11 વાગ્યે શપથ ગ્રહણ થશે. જ્યારે નાગાલેન્ડમાં શપથ ગ્રહણ સમારોહ 7 માર્ચે બપોરે 1:45 વાગ્યે અને ત્રિપુરામાં 8 માર્ચે સવારે 11 વાગ્યે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) ત્રણેય રાજ્યોના મુખ્યમંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ગુરુવારે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા.
આ ત્રણેય રાજ્યોમાં(Oath Ceremony) વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપ તેના સહયોગી દળો સાથે સરકાર બનાવવા જઈ રહી છે. મેઘાલયમાં નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના વડા કોનરાડ કે. સંગમા મુખ્યમંત્રી તરીકે શપથ લઈ શકે છે. ત્રિપુરામાં, માણિક સાહા ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે અને નાગાલેન્ડમાં, NDPP સુપ્રીમો નેફિયુ રિયો પાંચમી મુદત માટે મુખ્યમંત્રી તરીકે પદ સંભાળશે.
કોનરાડ સંગમા શુક્રવારે મેઘાલયના(Oath Ceremony) ગવર્નર ફાગુ ચૌહાણને મળ્યા હતા અને રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે 32 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રજૂ કર્યો હતો. સંગમાએ કહ્યું હતું કે તેમને ભાજપ, HSPDP અને બે અપક્ષ ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે કહ્યું કે નવી સરકાર 7 માર્ચે શપથ લેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં હાજર રહેવાની સંમતિ આપી દીધી છે. મેઘાલયમાં 27 ફેબ્રુઆરીએ 59 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. ગુરુવારે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં NPP 26 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. UDPને 11 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસ અને TMCએ પાંચ-પાંચ અને ભાજપે બે બેઠકો જીતી હતી.
ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં (Oath Ceremony) ભાજપે કુલ 60માંથી 32 બેઠકો જીતી છે જ્યારે તેના સહયોગી આઈપીએફટીએ એક બેઠક જીતી છે. મુખ્યમંત્રી માણિક સાહાએ શુક્રવારે રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને તેમની સરકારનું રાજીનામું સોંપ્યું હતું. તેમણે કહ્યું કે નવી સરકાર 8 માર્ચે શપથ લેશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહમાં હાજરી આપશે
નાગાલેન્ડમાં 60 સભ્યોની વિધાનસભાની (Oath Ceremony) ચૂંટણીના પરિણામોમાં NDPP-BJPને 37 બેઠકો મળી છે. જેમાંથી એનડીપીપીને 25 અને ભાજપને 12 બેઠકો મળી હતી. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ સાત બેઠકો, NPF પાંચ અને નાગા પીપલ્સ ફ્રન્ટ, લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) અને આરપીઆઈ (આઠાવલે)એ બે-બે બેઠકો જીતી હતી. જનતા દળ (યુનાઈટેડ)એ એક બેઠક જીતી છે, જ્યારે ચાર અપક્ષોએ જીત મેળવી છે.
