ડીડીડબલ્યુએસ દ્વારા ગામ અને પંચાયત સ્તરે સુરક્ષિત પાણી અને સ્વચ્છતાની પદ્ધતિઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા 1 જુલાઈ, 2024થી 2 મહિનાનું જાગૃતિ અભિયાન ‘સ્વચ્છ ગાંવ, શુદ્ધ જલ – બેહતર કાલ’ શરૂ કર્યું છે. ગ્રામીણ સ્વચ્છતા અભિયાન અને નેશનલ સ્ટોપ ડાયરિયા અભિયાન વચ્ચેનો સમન્વય જાહેર આરોગ્ય પ્રત્યેની આપણી અતૂટ પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છેઃ શ્રી સી.આર. પાટીલ
જલ શક્તિ મંત્રાલયના પેયજલ અને સ્વચ્છતા વિભાગ (ડીડીડબલ્યુએસ)એ કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી જે. પી. નડ્ડા, રાજ્ય કક્ષાના મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓ, કેન્દ્ર સરકાર, વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને વિકાસ ભાગીદાર પ્રતિનિધિઓની સાથે 24 જૂન, 2024ના રોજ શરૂ કરવામાં આવેલા રાષ્ટ્રીય સ્ટોપ ડાયરિયા અભિયાન સાથે હાથ મિલાવ્યા છે.
કેન્દ્રીય જલ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે આ જોડાણનાં મહત્ત્વ પર ભાર મૂકતા કહ્યું કે, “ગ્રામીણ સ્વચ્છતા અભિયાન અને નેશનલ સ્ટોપ ડાયરિયા અભિયાન વચ્ચે સમન્વય જાહેર સ્વાસ્થ્ય પ્રત્યેની અમારી અતૂટ કટિબદ્ધતાને રેખાંકિત કરે છે. આ સહિયારા પ્રયાસો દ્વારા, અમે માત્ર બાળ મૃત્યુદરને ઘટાડવાનું જ લક્ષ્ય રાખ્યું નથી, પરંતુ ગ્રામીણ ભારતમાં આરોગ્ય અને સ્વચ્છતાની સંસ્કૃતિને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ.”
સચિવ (ડીડીડબલ્યુએસ) શ્રીમતી વિની મહાજને તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આ પહેલ આપણા બાળકો અને સમુદાયોના સ્વાસ્થ્યની સુરક્ષા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે. નેશનલ સ્ટોપ ડાયરિયા અભિયાન સાથે અમારા પ્રયત્નોને સંકલિત કરીને, અમારું લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું છે કે કોઈ પણ બાળક ઝાડા જેવા અટકાવી શકાય તેવા રોગોનો ભોગ ન બને. આ લક્ષ્યને હાંસલ કરવા માટે સ્વચ્છ પાણી અને સ્વચ્છતા પર અમારું ધ્યાન કેન્દ્રિત કરવું મહત્ત્વપૂર્ણ છે.”
નેશનલ સ્ટોપ ડાયરિયા અભિયાનનો ઉદ્દેશ બે મહિનાના સમયગાળા દરમિયાન વ્યાપક, બહુ-ક્ષેત્રીય અભિગમ મારફતે ડાયરિયાથી બાળકોના મૃત્યુને શૂન્ય કરવાનો છે.
મુખ્ય ફોકસના ક્ષેત્રો
સ્વાસ્થ્ય સાથે સંબંધિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવીઃ સ્વાસ્થ્ય સુવિધાઓની જાળવણી સુનિશ્ચિત કરવી અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આવશ્યક તબીબી પુરવઠો (ઓઆરએસ, ઝીંક)ની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવી.
સ્વચ્છ પાણી અને સ્વચ્છતાની સુલભતામાં સુધારો કરવોઃ પીવાના સ્વચ્છ પાણી અને સ્વચ્છતા માટે ગુણવત્તા નિયંત્રણનાં પગલાં અને સ્થાયી પદ્ધતિઓનો અમલ કરવો.
પોષણ કાર્યક્રમો વધારવાઃ ઝાડા-ઊલટીના રોગોને અટકાવવા માટે કુપોષણનો સામનો કરવો.
સ્વચ્છતા શિક્ષણને પ્રોત્સાહન આપવું: શાળાઓમાં જરૂરી સુવિધાઓ પૂરી પાડવી અને બાળકોને સ્વચ્છતા અંગે શિક્ષિત કરવા. આ પહેલને પૂરક બનાવીને ડીડીડબલ્યુએસએ 1 જુલાઈથી 31 ઓગસ્ટ, 2024 સુધી ગ્રામીણ વિસ્તારોમાં ‘સ્વચ્છ ગાંવ, શુદ્ધ જલ- બેહતર કલ’ નામથી ‘સુરક્ષિત જળ અને સ્વચ્છતા’ પર જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન ગ્રામ અને પંચાયત સ્તરે જાગરુકતા વધારવા અને સલામત પાણી અને સ્વચ્છતા પદ્ધતિઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરાયું છે.
આ પ્રયાસ નેશનલ સ્ટોપ ડાયરિયા અભિયાનનાં લક્ષ્યમાં યોગદાન આપશે, જેનો ઉદ્દેશ ડાયરિયાના કારણે થતાં બાળ મૃત્યુદરમાં ઘટાડો કરવાનાં અને ગ્રામીણ ભારતમાં સમગ્ર સાર્વજનિક સ્વાસ્થ્યમાં સુધારો કરવાનો છે. આ ઉપરાંત ભારતનાં તમામ ગામડાઓમાં ખુલ્લામાં શૌચ મુક્ત પ્લસ મોડલની સ્થિતિને જાળવી રાખવા અને હિમાયત પણ કરીને સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ ભારતની દિશામાં કામ કરશે.
અભિયાનની મુખ્ય પ્રવૃત્તિઓ:
સામુદાયિક જોડાણ: ગ્રામ જળ અને સ્વચ્છતા સમિતિઓ, પાણી સમિતિઓ અને સ્થાનિક એકમો સામુદાયિક ભાગીદારી અને માલિકી સુનિશ્ચિત કરવાના પ્રયાસોનું નેતૃત્વ કરશે.
પાણીની ગુણવત્તા ચકાસણી: ફિલ્ડ ટેસ્ટ કિટ્સ દ્વારા નિયમિત પરીક્ષણ હાથ ધરવામાં આવશે, જેમાં એડબલ્યુસી, શાળાઓ, આરોગ્ય સુવિધાઓ અને સામુદાયિક કેન્દ્રોમાં પરિણામો દર્શાવવામાં આવશે.
સેન્સિટાઈઝેશન વર્કશોપ: જિલ્લા જળ અને સ્વચ્છતા અભિયાનો સ્થાનિક સમુદાયો, સરકારી અધિકારીઓ અને અન્ય હિતધારકોને જળ વ્યવસ્થાપન, સ્વચ્છતા અને સ્વચ્છતા સંવર્ધન અંગે તાલીમ આપશે.
લીકેજ શોધ અને સમારકામ ડ્રાઇવ: દૂષિત થતું રોકવા અને પાણી બચાવવા માટે પાણી પુરવઠા પ્રણાલીનું નિરીક્ષણ અને સમારકામ.
જનજાગૃતિ અભિયાન: જળ સ્વચ્છતાનાં મહત્ત્વ, સ્વચ્છતા માટે સલામત સ્વચ્છતા પ્રેક્ટિસ અને આઇએચએચએલ/સીએસસીનાં ઉપયોગ તથા પાણીજન્ય રોગોનાં નિવારણ પર જાગૃતિ લાવવામાં આવે છે.
નબળાં જૂથો પર વિશેષ ધ્યાન કેન્દ્રિતઃ ઝાડા અને અન્ય પાણીજન્ય રોગોની ઘટનાઓ ઘટાડવા માટે પાંચ વર્ષથી ઓછી વયના બાળકો અને વૃદ્ધોને લક્ષ્ય બનાવવું. આ અભિયાનમાં યુવાન માતાઓ અને કિશોરીઓ માટે યોગ્ય સ્વચ્છતા અને સ્વચ્છતાની પદ્ધતિઓ પર કાર્યશાળાઓ અને તાલીમ સત્રો, જેમાં બાળ મળનો સુરક્ષિત નિકાલ અને હાથ ધોવાની તકનીકો સામેલ કરાઈ.
આ અભિયાનનો શુભારંભ, કન્વર્ઝન મીટિંગ્સ, પાણીની ગુણવત્તાનું પરીક્ષણ અને સેન્સિટાઇઝેશન વર્કશોપ બાદ લીકેજ ડિટેક્શન અને રિપેર ઝુંબેશ, જનજાગૃતિ અભિયાનો અને ગ્રામીણ સ્વચ્છતા માટે તેમજ સંસ્થાઓમાં સાબુથી હાથ ધોવાની સુવિધા સુનિશ્ચિત કરવા માટે સ્વચ્છતા અભિયાનો ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ક્લોરિન પરીક્ષણ, જનજાગૃતિ અભિયાનો અને શાળાઓ અને આંગણવાડી કેન્દ્રોમાં પાણીની ગુણવત્તાનું નિરીક્ષણ, જેમાં સંસ્થાઓમાં ગ્રેવોટર મેનેજમેન્ટ અને નિષ્ક્રિય શૌચાલયોની વિશેષ ઝુંબેશનો સમાવેશ કરાયો. તેમજ સ્થાનિક સમુદાયો સાથે જોડાણ, વરસાદી પાણીના સંગ્રહને પ્રોત્સાહન અને વ્યક્તિગત ઘરેલુ શૌચાલય (આઈએચએચએલ) કોમ્યુનિટી સેનિટરી કોમ્પ્લેક્સ (સીએસએચએલ) અને આરોગ્ય માટે સુરક્ષિત પાણી પર ઘરે-ઘરે પેમ્ફલેટ વિતરણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
