PM Speech/ નવા સંસદ ભવનથી 21મી સદીની આકાંક્ષાઓ પૂરી થશે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે વડા પ્રધાને હાલનાં સંસદ ભવનનાં મહત્તાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ‘આપણા દેશ અને બંધારણનું નિર્માણ આ સંસદ ભવનમાં કરવામાં આવ્યું છે.

Top Stories India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે નવા સંસદ ભવનનો શિલાન્યાસ કર્યો છે. આ પ્રસંગે વડા પ્રધાને હાલનાં સંસદ ભવનનાં મહત્તાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, ‘આપણા દેશ અને બંધારણનું નિર્માણ આ સંસદ ભવનમાં કરવામાં આવ્યું છે. આ સંસદ ભવન દેશના ઉતાર-ચઢાવ, આશાઓ, આકાંક્ષાઓ અને પ્રવાસનું પ્રતીક રહ્યું છે. આ બધું આપણો વારસો છે, પરંતુ સંસદનાં શક્તિશાળી ઇતિહાસની સાથે વાસ્તવિકતાને પણ સ્વીકારવાની જરૂર છે.

વડા પ્રધાને કહ્યું કે, સમયની જરૂરિયાત સાથે, આ ભવનને અપગ્રેડ કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા છે. સાઉન્ડ, આઇટી, સુરક્ષા સિસ્ટમો અપગ્રેડ કરવામાં આવી છે, દિવાલો પણ ઘણી વખત તૂડવામાં આવી છે, પરંતુ હવે આ ભવન આરામ માંગી રહ્યો છે. PM મોદીએ કહ્યું કે, ‘નવા સંસદ ભવનમાં ઘણી નવી વસ્તુઓ કરવામાં આવી રહી છે, જેના કારણે સાંસદોની ક્ષમતામાં વધારો થશે, કાર્ય સંસ્કૃતિમાં આધુનિક પદ્ધતિઓ આવશે. જ્યારે નાગરિકો સાંસદને મળવા આવે છે, ત્યારે તેઓને ખૂબ જ મુશ્કેલી થાય છે. સંસદ ભવનમાં જગ્યાનો અભાવ છે. પરંતુ ભવિષ્યમાં, દરેક સાંસદ માટે એક એવી સિસ્ટમ હશે કે જેથી તે પોતાના સંસદીય મત વિસ્તારમાંથી આવતા લોકોને મળી શકે.

વડા પ્રધાને કહ્યું કે, ‘નવુ સંસદ ભવન આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે. જૂનુ ભવનએ દેશની જરૂરિયાતો પૂરી કરી, પરંતુ સંસદનું નવું ભવન 21 મી સદીની આકાંક્ષાઓ પૂર્ણ કરશે. આપણે ભારતનાં લોકો મળીને આપણી સંસદનું આ નવું ભવન બનાવીશું. અને આમાંથી શું સુંદર હશે, તેમા શું પવિત્ર હશે, કે જ્યારે ભારત તેની આઝાદીનાં 75 વર્ષ ઉજવશે, ત્યારે તે ઉત્સવની સાક્ષાત પ્રેરણા આપણી સંસદનું નવું ભવન બનશે.

PM મોદીએ કહ્યું કે, ‘જ્યારે વિશ્વાસ કે આપણે આપણા લોકશાહીનાં મહિમાની પ્રશંસા કરીશું, ત્યારે વિશ્વ કહેશે કે India is mother of Democracy.’ તેમણે કહ્યું કે, લોકશાહીમાં સંવાદ થવો જોઈએ. તફાવતની જગ્યા હોય પરંતુ ડિસ્કનેક્ટ ન હોય. સંવાદ આગળ વધતો રહેવો જોઈએ. લોકોની સેવામાં કોઈ મતભેદ ન હોવા જોઈએ. આશાવાદને જગાડીને રાખવાનો છે. અહીં પહોંચેલા દરેક વ્યક્તિ જવાબદેહ છે. આપણા નિર્ણયમાં રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ છે.

વડા પ્રધાને કહ્યું કે, ‘રાષ્ટ્રનાં વિકાસ માટે રાજ્યનો વિકાસ, રાષ્ટ્રની મજબૂતી માટે રાજ્યની મજબૂતી, રાષ્ટ્રના કલ્યાણ માટે રાજ્યનું કલ્યાણ. આપણે આ મૂળ સિદ્ધાંત સાથે કામ કરવાની પ્રતિજ્ઞા લેવી પડશે. આપણે પ્રતિજ્ઞા લેવી પડશે કે – આ સંકલ્પ India First નો હોય. આપણે માત્ર આપણા ભારતની ઉન્નતિ, ભારતનાં વિકાસને જ પોતાની આરાધના બનાવી લેવી. આપણા દરેક નિર્ણયથી દેશની તાકાતમાં વધારો થવો જોઇએ. આપણો દરેક નિર્ણય એક જ ત્રાજવામાં તોલવામાં આવે અને તે છે દેશનું હિત સર્વોપરી.

ટોલ ટેક્સ માંગવા પર YSRCP નેતાએ કર્મચારીને મારી દીધો થપ્પડ

ક્રિકેટ રસિકો આનંદો, મોટેરા સ્ટેડિયમ ખાતે હવે જલ્દી જ રમાશે આંતરરાષ્ટ્રીય મેચ

એલન મસ્કનાં મંગળ ગ્રહનાં મિશનને મોટો આંચકો, ઉડાન બાદ સ્ટારશિપ રોકેટમાં વિસ્ફોટ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો