Maharashtra News/ પુત્રના મોતનો આઘાત સહન ન કરી શકતા મહિલા ઘરેથી ગાયબ થઈ ગઈ : 30 વર્ષ બાદ પરિવારને મળી

ડો. મલિકે કહ્યું કે પરિવારને ફરીથી એકસાથે જોવું એ અમારા માટે સૌથી મોટો પુરસ્કાર

Top Stories India Breaking News

Maharashtra News : મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાંથી 30 વર્ષ પહેલાં પોતાના ઘરેથી ગુમ થયેલી 80 વર્ષીય મહિલા થાણે મેન્ટલ હોસ્પિટલના સ્ટાફના પ્રયાસોથી તેના પરિવાર સાથે ફરી મળી છે. મહિલા પરિવારને મળતા જ ભાવુક બની ગઈ હતી. એક એજન્સી અનુસાર, ત્રણ દાયકા પહેલા મહિલાના 13 વર્ષના પુત્રનું આમલીના ઝાડ પર ચડ્યા બાદ ઇલેક્ટ્રિક શોક લાગવાથી કરૂણ મોત થયું હતું.મહિલા આ આઘાત સહન ન કરી શકી અને તેની માનસિક હાલત બગડી ગઈ. જે બાદ મહિલા તેના ઘરેથી ગુમ થઈ ગઈ હતી. બાદમાં મહિલા નાશિક પહોંચી, જ્યાં તે વર્ષો સુધી પંચવટી વિસ્તારમાં ભટકતી રહી. બે વર્ષ પહેલા નાશિક પોલીસને તેની શારીરિક અને માનસિક હાલત કથળેલી જોવા મળી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે તેઓને ખબર પડી કે તેણે તેની યાદશક્તિ ગુમાવી દીધી છે, ત્યારે તેઓએ તેને સંભાળ અને સારવાર માટે થાણે મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કર્યો. હોસ્પિટલમાં તબીબી ટીમે તેને વ્યાપક સારવાર આપી. જ્યારે તેણે સુધારના સંકેતો દર્શાવ્યા, ત્યારે ટીમે તેની ઓળખ સ્થાપિત કરવા અને તેના પરિવારને શોધવા માટે કામ કરવાનું શરૂ કર્યું.

ડૉ. મુલિકે કહ્યું કે આ પ્રક્રિયા પડકારજનક હતી, કારણ કે મહિલાને ભૂતકાળની કોઈ વાત યાદ નહોતી. પરંતુ હોસ્પિટલ સ્ટાફે ધીમે ધીમે તેના વતન વિશે કડીઓ એકઠી કરી. પછી તેણે અહીંથી લગભગ 250 કિલોમીટર દૂર અહમદનગરમાં પોલીસનો સંપર્ક કર્યો અને ત્યાં તેના સંબંધીઓને ટ્રેસ કર્યા.

માહિતી મળ્યા પછી, મહિલાના પરિવારના સભ્યો, જેમાં તેની પુત્રવધૂ, પિતરાઈ ભાઈ અને ભત્રીજાનો સમાવેશ થાય છે, 17 જાન્યુઆરીએ હોસ્પિટલમાં આવ્યા અને 30 વર્ષમાં પ્રથમ વખત તેને મળ્યા. આટલા વર્ષો પછી પરિવારને મળ્યા બાદ મહિલા ભાવુક થઈ ગઈ હતી. તેમના પરિવારના સભ્યો પણ ભાવુક થઈ ગયા હતા.

પરિવારના એક સભ્યએ કહ્યું કે અમે મેડિકલ ટીમની અસાધારણ કાળજી અને સમર્પણથી ખૂબ જ પ્રભાવિત થયા છીએ. પરિવાર મહિલાને પરત અહેમદનગર લઈ ગયો છે. તે જ સમયે, ડો. મલિકે કહ્યું કે પરિવારને ફરીથી એકસાથે જોવું એ અમારા માટે સૌથી મોટો પુરસ્કાર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: માંસ સિવાયની વસ્તુઓ હલાલ કે નોન-હલાલ કેવી રીતે હોઈ શકે: સોલિસિટર જનરલનો સવાલ

આ પણ વાંચો: કેજરીવાલના ગોવાની ગ્રાન્ડ હયાત 7 સ્ટાર હોટલમાં રોકાણ ખર્ચની ચનપ્રીત સિંહે કરી હતી ચૂકવણી, સોલિસિટર જનરલ SV રાજુ અમારી પાસે છે પુરાવા

આ પણ વાંચો: સોલિસિટર જનરલ સાથે શુભેંદુ અધિકારીની બેઠક, દિલ્હીમાં તુષાર મહેતા-શુભેંદુની બેઠકથી વિવાદ, મુલાકાત બાદ ટીએમસીની માગ, સોલિસિટર જનરલ પદેથી દૂર કરાય તુષાર