Afghanistan Crisis/ PM મોદીએ ઇટાલીના PM સાથે ફોન પર કરી વાત, અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે થઇ ચર્ચા

પીએ મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે તેમણે ઇટાલીના પીએમ મારિયો ડ્રેગી સાથે ફોન પર વાત કરી. અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર સંકલિત…

Top Stories India
ફોન પર વાત

પીએમ મોદીએ શુક્રવારે તેમના ઇટાલિયન સમકક્ષ મારિયો ડ્રેગી સાથે ફોન પર વાત કરી હતી. આ દરમિયાન બંને નેતાઓએ અફઘાનિસ્તાનની હાલની સ્થિતિ પર ચર્ચા કરી. પીએમ મોદીએ અફઘાનિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સંકલિત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પીએ મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે તેમણે ઇટાલીના પીએમ મારિયો ડ્રેગી સાથે ફોન પર વાત કરી. અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિ પર સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રયાસની જરૂરિયાત અંગે ચર્ચા કરી. અમે G-20 માં સહયોગ અને આબોહવા પરિવર્તન જેવા અન્ય મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી.

આ પણ વાંચો :અમેરિકાએ આપી ચેતવણી, કબુલ એરપોર્ટ પર થઇ શકે છે વધુ એક આતંકી હુમલો

બાદમાં, પ્રધાનમંત્રી કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ફોન કોલ દરમિયાન અફઘાનિસ્તાનની તાજેતરની પરિસ્થિતિ અને વિશ્વ અને ક્ષેત્ર માટે તેના અસરો પર ચર્ચા કરી હતી. પીએમઓના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ કાબુલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જીવલેણ આતંકવાદી હુમલાની સખત નિંદા કરી હતી અને ત્યાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવા પર ભાર મૂક્યો હતો. પીએમઓના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ અફઘાનિસ્તાનની પરિસ્થિતિથી ઉભી થયેલી માનવતાવાદી અને સુરક્ષા કટોકટીને ઉકેલવા માટે G-20 સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે સહકારની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો :દેશમાં એક જ દિવસમાં 1 કરોડથી વધુને અપાઈ વેક્સિન, PM મોદી- સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વ્યક્ત કરી ખુશી

પીએમઓએ કહ્યું કે G-20 માં ચર્ચાઓને સફળતાપૂર્વક આગળ વધારવા માટે પીએમ મોદીએ ઇટાલીના ઉત્કૃષ્ટ નેતૃત્વની પ્રશંસા કરી. બંને નેતાઓ દ્વિપક્ષીય અને વૈશ્વિક મુદ્દાઓ, ખાસ કરીને અફઘાનિસ્તાનની સ્થિતિ પર સંપર્કમાં રહેવા સંમત થયા.

આપને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનની કથળતી પરિસ્થિતિને જોતા પ્રધાનમંત્રી વિશ્વના નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. અગાઉ તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ સાથે વાત કરી હતી.

આ પણ વાંચો : પંજાબમાં કોંગ્રેસ આગામી 20 વર્ષ સુધી રાજ કરશે પરતું આ વાતનો સ્વીકાર કરવો પડે….

આ પણ વાંચો :કેબિનેટ મંત્રી નારાયણ રાણેએ શિવસેના સરકાર મામલે ફરી શું નિવેદન આપ્યું…..

આ પણ વાંચો :કવિ કુમાર વિશ્વાસ સહિત બે લોકો સામે વોરંટ જારી કરવામાં આવ્યો,જાણો ક્યાં મામલે…