મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને થપ્પડ મારવાનું નિવેદન આપવા બદલ ધરપકડ કરાયેલા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા નારાયણ રાણેએ શુક્રવારે રાજ્યમાં શાસક શિવસેના પર પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે શિવસેના સત્તામાં હોવાનો ફાયદો ઉઠાવી રહી છે પરંતુ હું આ કાર્યવાહીથી જરા પણ ડરતો નથી.
રાણેએ કહ્યું, મેં કંઈ ખોટું કર્યું નથી. તેઓ સત્તાનો લાભ લઈ રહ્યા છે, તેથી તેઓએ મારી ધરપકડ કરી. કોવિડના મામલે મહારાષ્ટ્ર પ્રથમ નંબરે છે. તેમણે કોવિડ દરમિયાન કંઇ કર્યું નથી. સુશાંત સિંહની હત્યા કરવામાં આવી હતી. દિશા સલિયાનની બળાત્કાર બાદ હત્યા કરવામાં આવી હતી, છતાં દોષિતો મુક્તપણે ફરી રહ્યા છે.
“મારા ઘરની સામે આવેલા શિવસૈનિકોને પોલીસે પ્રોત્સાહિત કર્યા હતા. શિવસેનાએ છેલ્લા બે વર્ષમાં કોંકણ પ્રદેશ માટે શું કર્યું છે, તે પ્રદેશને શું આપ્યું છે? તેમને લાગે છે કે જો તેઓ મારી સામે પગલાં લેશે તો હું તેમનાથી ડરી જઈશ. પરંતુ અમારી યાત્રા (જન આશીર્વાદ યાત્રા) અત્યાર સુધી સંપૂર્ણ સફળ રહી છે
