western railway/ પશ્ચિમ રેલ્વેની મોટી જાહેરાત, સમર સ્પેશિયલ ટ્રેન સુરતીઓને આપશે સુગમતા, ઉધના અને માલદા વચ્ચે દોડશે

ઉનાળામાં મુસાફરોને સુવિધા આપવા માટે પશ્ચિમ રેલવેએ ગુજરાતથી પશ્ચિમ બંગાળ માટે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.

Top Stories Gujarat Surat

સુરત : ઉનાળામાં મુસાફરોને સુવિધા આપવા માટે પશ્ચિમ રેલવેએ ગુજરાતથી પશ્ચિમ બંગાળ માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. આ ટ્રેન સુરતના ઉધના રેલવે સ્ટેશનથી ઉપડશે અને પછી બિહાર થઈને માલદા ટાઉન જશે. આ ટ્રેનનું સંચાલન 14 મેથી શરૂ થશે. પશ્ચિમ રેલ્વેએ કહ્યું કે આ ટ્રેન 2 જુલાઈ સુધી કાર્યરત રહેશે.

લેવાશે વિશેષ ભાડું
રેલવેએ આ ટ્રેન માટે વિશેષ ભાડું નક્કી કર્યું છે. પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે મુસાફરોની સુવિધા માટે અને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે ઉધના અને માલદા ટાઉન વચ્ચે વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 03418 માટે બુકિંગ 12 મે, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે.

ઉધનાથી સમર સ્પેશિયલ ટ્રેન દોડશે
સુરતના ઉધના રેલવે સ્ટેશનથી શરૂ થનારી આ સમર સ્પેશિયલ ટ્રેન કુલ 16 ટ્રીપ કરશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 03418/03417 ઉધના-માલદા ટાઉન (સાપ્તાહિક) વિશેષ ટ્રેનનું બુકિંગ 12મી મે એટલે કે (રવિવાર)થી શરૂ થશે. આ ટ્રેન નંબર 03418 ઉધના-માલદા ટાઉન સ્પેશિયલ દર મંગળવારે ઉધનાથી 12.30 કલાકે ઉપડશે અને ગુરુવારે 02.55 કલાકે માલદા ટાઉન પહોંચશે. આ ટ્રેન 14 મે થી 02 જુલાઈ 2024 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 03417 માલદા ટાઉન – ઉધના સ્પેશિયલ માલદા ટાઉનથી દર રવિવારે 12.20 કલાકે ઉપડશે અને મંગળવારે 00.45 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 12 મેથી 30 જૂન 2024 સુધી ચાલશે.

આ સ્ટેશનો પર કરશે રોકાણ

તે પટના, બખ્તિયારપુર, કીલ, અભયપુર, જમાલપુર, સુલતાનગંજ, ભાગલપુર, કહલગાંવ, સાહિબગંજ, બરહરવા અને ન્યુ ફરક્કા સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. તાજેતરમાં ઉધના રેલવે સ્ટેશન પર પરપ્રાંતિય મજૂરોની મોટી ભીડ જોવા મળી હતી. ત્યારથી મુંબઈ ડિવિઝનમાંથી સતત ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દારૂના નશામાં ચકચૂર પુત્રનું આતંકી પગલું, માતા, પત્ની અને ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ….

આ પણ વાંચો: અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી 1 જૂન સુધી મળ્યા વચગાળાના જામીન

આ પણ વાંચો: હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટમાંથી ન મળી રાહત, જાણો વચગાળાના જામીન પર આગામી સુનાવણી ક્યારે…