![અમદાવાદ/ બેન્ક કર્મીઓના કોરોના સંક્રમણના કેસમાં થયો વધારો, વધુ બે કેસ આવ્યા સામે 3 871344aa4dfa484744565139cc44542a અમદાવાદ/ બેન્ક કર્મીઓના કોરોના સંક્રમણના કેસમાં થયો વધારો, વધુ બે કેસ આવ્યા સામે](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/04/871344aa4dfa484744565139cc44542a.png)
અમદાવાદમા હવે બેંકકર્મીઓ પણ કોરોનાની ચપેટમાં આવવા લાગ્યા છે.ઘોડાસર વિસ્તારમાં બેન્ક કર્મી કોરોનાનો ભોગ બન્યા છે. ગઇકાલે જ આ બેકના બે કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર આજે પણ વધુ બે કર્મીઓના કેસ પોઝિટિવ આવ્યા છે.એક જ બેકમાં ચાર કર્મીઓને કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમા આવી છે.
આપને જણાવી દઈએ કે રાજ્યના પચાસ ટકાથી પણ વધુ એટલે કે અડધો અડધ કરતાં વધુ કેસ માત્ર અમદાવાદમાં છે. રાજ્યનાં અન્ય શહેરોમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા અને અમદાવાદના કેસની સંખ્યા વચ્ચે બહુ મોટું અંતર છે. અમદાવાદમાં અત્યાર સુધીમાં 1654 કેસ પોઝિટીવ નોંધાયા છે. જ્યારે 69 લોકોના મોત કોરોનાના કારણે થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.