વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ નિમિત્તે કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધીએ બેકારીનાં મુદ્દે તેમને ઘેર્યા છે. રાહુલ ગાંધીએ બેકારીનાં આંકડાને લગતા એક અખબારનાં સમાચાર શેર કરતા લખ્યું છે કે, સરકાર યુવાનોને રોજગાર આપવામાં ક્યા સુધી બચતી રહેશે. જણાવી દઇએ કે, #રાષ્ટ્રીય_બેરોજગારી_દિવસ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યો છે, જેને લઇને રાહુલ ગાંધીએ વડા પ્રધાન પર હુમલો કર્યો. રાહુલ ગાંધીએ અગાઉ જીડીપીનાં આંકડા, દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને સરહદ પર ભારત-ચીન વિવાદને લઈને પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા.
यही कारण है कि देश का युवा आज #राष्ट्रीय_बेरोजगारी_दिवस मनाने पर मजबूर है।
रोज़गार सम्मान है।
सरकार कब तक ये सम्मान देने से पीछे हटेगी?Massive unemployment has forced the youth to call today #NationalUnemploymentDay.
Employment is dignity.
For how long will the Govt deny it? pic.twitter.com/FC2mQAW3oJ— Rahul Gandhi (@RahulGandhi) September 17, 2020
ગુરુવારે સોશિયલ મીડિયા પર લોકો #રાષ્ટ્રીય_બેરોજગાર_દિવસ મનાવી રહ્યા છે. માઈક્રોબ્લોગિંગ સાઇટ પર લાખો યુવાનો સરકાર પાસેથી રોજગાર મેળવવા માટે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ એક ટ્વીટ કર્યું છે. રાહુલે લખ્યું છે કે, ‘આ સરકાર રોજગારને લગતુ સમ્માન ક્યારે આપશે?’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.