‘કસૌટી જિંદગી કી 2’ નો અનુરાગ એટલે કે પાર્થ સમથાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કસૌટી જિંદગી કી 2 નું શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું અને શોની આખી ટીમમાં, જેમાં પ્રોડક્શન મેમ્બર અને કાસ્ટનો સમાવેશ થાય છે, બધાને ટેસ્ટ કરવા કહેવામાં આવ્યું છે. શોનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે, અને સેટને સીલ કરી દેવામાં આવ્યો છે. તાજેતરમાં જ શોનું શૂટિંગ શરૂ થયું હતું અને 13 જુલાઇ, સોમવારે એટલે કે આવતીકાલથી આ શો પ્રસારિત થવાનો હતો, હવે ફરી એકવાર શૂટિંગ બંધ કરાયું છે. હવે જોવાનું એ છે કે આ શો પ્રસારિત થશે કે હવે તેને હોલ્ડ પર રાખવામાં આવશે?
બાલાજી અને એકતા કપૂરે ઓફિશિયલ હેન્ડલ પરથી ટ્વિટ કરીને માહિતી આપી હતી કે તમામ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
— Balaji Telefilms (@BTL_Balaji) July 12, 2020