ગાંધીનગરમાં જેમ જેમ દિવસ જાય છે તેમ તેમ કોરોના પોઝિટિવની સંખ્યા વધી રહી છે. ત્યારે અન્ય વધુ કેસ સામે આવ્યા છે. અહીં ઇસનપુર ડોડીયાના 32 વર્ષિય યુવાનને માથાના ભાગે ઇજા પહોંચી સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતો.સારવાર દરમિયાન તેનો કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે બાદ આજે આ યુવાનનું મોત નિપજ્યું છે.
આપને જણાવી દઈએ કે ગાંધીનગરના સેક્ટર-24માં ગઇકાલે પોઝિટિવ આવેલાં ધોબીના પરિવારનો વધુ એક સભ્ય પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત રવિવારે કોરોનાના કારણે મૃત્યુ પામેલાં અડાલજના 68 વર્ષિય વૃદ્ધની માતા અને પુત્ર રિપોર્ટ પણ આજે પોઝિટિવ આવ્યો છે. ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓનો આંકડો 70ને પાર પહોંચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.