વિરાટ કોહલી અને રોહિત શર્માની ભારતની સ્ટાર બેટિંગ જોડીએ ઘણા પૂર્વ અને વર્તમાન ક્રિકેટરોને પ્રભાવિત કર્યા છે. આ યાદીમાં તાજેતરનું નામ પાકિસ્તાનનાં પૂર્વ કેપ્ટન સરફરાઝ અહેમદનું છે, જેણે ભારતની સામે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી અને 2019 વર્લ્ડ કપમાં ભારત સામેની હાઈ-પ્રોફાઇલ મેચોમાં તેની ટીમનું નેતૃત્વ કર્યું હતું. ગયા વર્ષે ઓક્ટોબરમાં સરફરાઝને ત્રણેય ફોર્મેટમાં પાકિસ્તાનની કેપ્ટનશીપથી દૂર કરવામાં આવ્યા હતા. હવે વિકેટકીપર બેટ્સમેને વિશ્વનાં નંબર વન બેટ્સમેન કોણ છે તે નક્કી કર્યો છે.
કોહલી, સ્ટીવ સ્મિથ, જો રૂટ અને કેન વિલિયમસનનાં રૂપમાં વર્લ્ડ ક્રિકેટમાં કેટલાક સારા બેટ્સમેન હોવા છતાં, સરફરાઝે ભારતનાં કેપ્ટનને વિશ્વનાં સર્વશ્રેષ્ઠ તરીકે પસંદ કર્યા છે, જ્યારે રોહિત શર્માનો પણ એટલો જ પ્રભાવ બતાવ્યો છે. સરફરાઝે ક્રિકટ્રેકરને કહ્યું કે, આજનાં સમયમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં કે વિરાટ કોહલી જ વિશ્વનો નંબર 1 બેટ્સમેન છે.
“પરંતુ, મેં તમને અગાઉ કહ્યું છે કે જ્યારે હું વિકેટ પાછળ રહ્યો છું, ત્યારે મને લાગ્યું છે કે જો કે રોહિત શર્માની ટેસ્ટ મેચોમાં ઘણા રન નથી, તેમ છતાં, તેની પાસે ખૂબ જ સારી ટાઇમિંગ છે. પરંતુ દુનિયામાં નંબર વન ખેલાડી ચોક્કસપણે વિરાટ કોહલી છે. તેની સાથે કોઇ બરાબરી કરી શકે નહીં.”
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.