કરાચીઃ પાકિસ્તાનના સિંઘ પ્રાંતના સહવાસમાં આવેલ લાલ શાહબાજ કલંદર દરગાહની અંદર મોડી રાતે ISIS ના એક આત્મઘાતીએ વિસ્કોફટ કર્યો હતો. જેમા 70 કરતા વધારે લોકોના મોત થયા હતા. જ્યારે 150 કરતા વધારે લોકો ઘાયલ થયાહ તા. સિંઘ પ્રાંતના પોલીસ મહાનિરીક્ષક એ.ડી ખ્વાજાએ મીડિયાને જણાવ્યું હતું કે, પોલીસે અત્યાર સુધીમાં 70 શબની ગણતરી કરી છે.
ઘટના અંગે મળતી માહિતી મુજબ આ એટેકમાં બે હુમલાખોર સામેલ હતા. તેમના સીસીટીવી ફુટેજ સામે આવી આવ્યા છે. લોકોનું કહેવું છે કે એક આતંકીએ પહેલા હેન્ડગ્રેનેટ ફેંક્યો હતો. જ્યારે તે ન ફાટ્યો તો તેણે પોતાની જાતને ઉડાવી દીધી. પાકિસ્તાનના અખબાર ડોન મુજબ આત્મઘાતી હુમલો મહિલાઓના રિઝર્વ વિસ્તારમાં થયો.