હરિયાણવી ક્વીન સપના ચૌધરી તાજેતરમાં જ માતા બની છે. તેણે આ વર્ષની શરૂઆતમાં હરિયાણાના ગાયક-લેખક વીર સાહુ સાથે લગ્ન કર્યાં હતા. આ સમાચાર બહાર આવ્યા બાદ કેટલાક લોકોએ સપનાના લગ્ન અને તેની માતા બનવા અંગે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.
આ પણ વાંચો : સુરત/ 5 વર્ષની બહેન સાથે ઝગડો થતા 13 વર્ષના ભાઈએ ભર્યું આ ભયંકર પગલું
વીર સાહુએ ફેસબુક લાઇવ દ્વારા ચાહકોને કહ્યું કે તે પિતા બન્યો છે. આ સાથે, જે લોકો તેમના લગ્ન વિશે સવાલો ઉભા કરી રહ્યા છે તેમને તેણે યોગ્ય જવાબ આપ્યો. વીરે કહ્યું કે મારા લગ્ન થયા છે, દીકરા થયો છે તમને શું મતલબ છે? વીરે કહ્યું લગ્ન બાદ મારા ફૂવાનું નિધન થી ગયું હતું તો કોઈએ પૂછ્યું?
વીરએ સપના સામે ખોટી ટિપ્પણી કરનારા લોકો સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તેને જોરદાર સંભળાવ્યું હતા. તેણે કહ્યું કે અમને સવાલો પૂછવામાં આવે છે જેમકે આપણે કોઈ લૂંટ ચલાવી છે અથવા કોઈની હત્યા કરી છે. તમે કોઈની બહેન કે દીકરીનું માન નથી રાખતા. વીરે ગુસ્સાથી કહ્યું કે જો તમે સપનાની વાર્તા સાંભળો તો તમારી આંખોમાં આંસુ આવી જશે. આ સાથે તેમણે સપનાને હંમેશા ટેકો આપવાનું કહ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ